સુરેન્દ્રનગરના થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે થાનમાં આવેલા ઝરીયા મહાદેવ મંદિરમાં ઝરણાં વહેવા લાગ્યા હતા. મંદિરમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. ખળખળ વહેતા આ પાણીના અવાજથી વાતાવરણ આહલાદક બન્યું હતું. તો થાન પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે.