રાજ્યમાં પડતી કાળઝાળ ગરમી વચ્ચે આગામી બેથી ત્રણ દિવસમાં રાજ્યમાં વરસાદ થાય તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને લોકોને ગરમીથી રાહત તો મળશે પણ પાકને નુકસાનને લઇને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
હવામાન વિભાગના સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 9 મેથી 11 મે દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે.
જેમાં રાજકોટ, પોરબંદર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઝરમર વરસાદ થઈ શકે છે. જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ છવાઈ ગયું છે. તો છેલ્લા બે દિવસમાં અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીમાં પણ ઘટાડો નોંધાયો છે. જેથી લોકોને આંશિક રાહત પણ મળી છે.