અમદાવાદમાં વરસાદી માહોલ, મણિનગર, સેટેલાઇટ, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ , હવામાન વિભાગે આવતીકાલે ભારે વરસાદની કરી છે આગાહી
અમદાવાદમાં વરસ્યો વરસાદ
મણિનગર, ખોખરા, હાટકેશ્વર, જશોદાનગરમાં વરસાદ
લડી અને નહેરુનગર, આંબાવાડી તથા સેટેલાઇટમાં વરસાદ
અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે. જો કે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બપોરના ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદ વરસ્યો.મણિનગર, ખોખરા, હાટકેશ્વર, જશોદાનગર, ઇસનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. આ ઉપરાંત પાલડી અને નહેરુનગર, આંબાવાડી તથા સેટેલાઇટમાં પણ વરસાદ પડ્યો હતો. જો કે ધોધમાર વરસાદ વરસ્યો ન હતો પરંતુ વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી હતી.
ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્યમાં ભારે મેઘતાંડવ વચ્ચે આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને લઈ હવે આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચન આપવામાં આવ્યું છે. આ સાથે લોકોને પણ સતર્ક રહેવા આપીલ કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર પણ સજ્જ હોય તેમ જરૂર જણાએ ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે
આવતીકાલે તા.16 જુલાઈએ અહી પડી શકે છે ભારે વરસાદ
16 જુલાઈ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.