રાજ્યનાં ઘણા ખરા જિલ્લાઓમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ટંકારામાં વરસાદ નોંધાયો છે. ત્યારે વાવણી કર્યા બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
આજે અમદાવાદમાં ઘણા લાંબા વિરામ બાદ ફરી એક વખત મેધરાજાનું આગમન થયું. છેલ્લાં કેટલાંય દિવસોથી અસહ્ય બાફથી અમદાવાદીઓ બફાઈ રહ્યાં હતાં. જો કે અમદાવાદમાં મોડી સાંજે એસ.જી હાઈવે, રાણીપ, અખબારનગર, સાબરમતી વગેરે વિસ્તારમાં વરસાદ થતા અમદાવાદીઓમાં ખૂબ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાંય સમયથી અમદાવાદમાં પડી રહેલી ગરમી અને બાફના કારણે અમદાવાદીઓ ત્રાહીમામ પોકારી ગયા હતા ત્યારે અમદાવાદીઓને વરસાદ બાદ ગરમીથી આંશિક રાહત મળી હતી.
ઉપરાંત રાજ્યનાં ઘણા ખરા જિલ્લાઓમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જેની વાત કરીએ તો પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. પોરબંદરના બરડા વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. બગવદર અને ભારવાડા સહિતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. ત્યારે વાવણી કર્યા બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ છેલ્લાં ઘણા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. ત્યારે છેલ્લાં ત્રણથી ચાર દિવસમાં સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. તો ગીર-સોમનાથ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લાના કોડીનાર, ગીર-ગઢડા, વેરાવળ અને ઉનામાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો વરસાદને પગલે ખેડૂતોના પાકને પણ નવું જીવનદાન મળ્યું છે.
રાજ્યનાં ગીર સોમનાથમાં પણ મૂશળધાર વરસાદ થયો. સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો. ઉના, ગીર ગઢડામાં ધોધમાર વરસાદ થયો તેમજ કોડીનારમાં છેલ્લાં 1 કલાકથી વીજળી સાથે વરસાદ પડ્યો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ટંકારામાં વરસાદ નોંધાયો છે. જેની જો વિગતવાર વાત કરીએ તો ટંકારામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વઢવાણમાં સવા 2 ઇંચ અને જેતપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગીર ગઢ઼ડા, પાટણ, ધ્રોલ, મહુધામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સાણંદ અને સંજેલીમાં પોણા 2 ઇંચ વરસાદ પડ્યો છે. તો બોડેલી, તલાલા, વાંસદા, માળિયા, વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢમાં અને ભરૂચમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.