IPLમાં 3 મૅચમાં 2 હાર બાદ ચેન્નઇ સુપર કિંગ્ઝનો હોંસલો બુલંદ છે. ધોનીની ટીમ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. 2 મેચમાં સતત હાર્યા બાદ આજે ફરી એક વાર સીએસકે મેદાન પર ઉતરશે.
રૈના અને ભજ્જીની થશે હકાલપટ્ટી?
આ વર્ષે નહી રમી શકે IPL2020
ભજ્જીએ દુબઇ જવાથી કર્યો હતો ઇન્કાર
આવી સિચ્યુએશન વચ્ચે ખબર છે કે ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ સુરેશ રૈના અને હરભજન સિંહને હટાવી દેવાની ફિરાકમાં છે. સૂત્રો અનુસાર CSK આ બંને ખેલાડીઓ સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો કરી દેવાની તૈયારીમાં છે.
કેટલાનો છે કોન્ટ્રાક્ટ
રેનાને આ સીઝનમાં રમવાના 11 કરોડ રૂપિયા અને ભજ્જીને 2 કરોડ રૂપિયા મળવાના હતા. બંને લોકોને હાલમાં ટીમ તરફથી કોઇ પૈસા નહી મળે. આ પ્રકારની પરિસ્થિતિમાં બંને ખેલાડી આવતા વર્ષે બીજી કોઇ પણ ટીમમાં જઇ શકશે. સુરેશ રેનાને રમતનો ઘણો લાંબો અનુભવ છે તે માત્ર 33 વર્ષના છે જેથી તેમને બીજી કોઇ પણ ટીમ આસાનીથી ખરીદી લેશે.
રૈનાથી નારાજ છે ટીમના માલિક
તમને જણાવી દઇએ કે આઇપીએલ શરૂ થવાના થોડા દિવસ પહેલા જ અંગત કારણોસર રૈના પરત ફર્યો હતો, જ્યારે ભજ્જીએ તો દુબઇ જવાથી જ ઇન્કાર કરી દીધો હતો. આઇપીએલ છોડીને જવાને કારણે ટીમના માલિક રૈનાથી ખૂબ નારાજ છે. થોડા દિવસ પહેલા જાણકારી મળી હતી કે ધોની જેવો રૂમ ન મળવાને કારણે રૈના પરત આવી ગયા હતા.
રૈનાએ કહ્યું હતુ કે પઠાણકોટમાં તેમના પરિવાર પર હુમલો થવાને કારણે તેમને દુબઇથી પરત આવવુ પડ્યું હતું. હુમલામાં તેમના ફૂઆનુ નિધન થયુ હતુ જ્યારે ફોઇને ઘણી ગંભીર ઇજા પહોંચી હતી. આ બાદ રેનાએ ટ્વીટ કરી હતી કે પરિવારને એ જાણવાનો તો હક છે જ કે આ હુમલો કોણે કર્યો હતો.
સની દેઓલે આ મામલે રૈનાને આશ્વાસન આપ્યુ હતુ અને કહ્યું હતું કે, તેમના મતક્ષેત્રમાં આ પ્રકારની ઘટના થાય છે તે નહી ચલાવી લેવામાં આવે. પંજાબ પોલિસ તેમને સપોર્ટ કરશે અને રેનાના પરિવાર સાથે આ પ્રકારનો હુમલો કોણે કર્યો તેની તપાસ થશે.