જ્યોતિષ શાસ્ત્રમાં વરસાદના પાણીના ઘણાં ઉપાયો દર્શાવ્યા છે કે જેનો ઉપયોગ કરીને જીવનમાં ધનલાભ વધારી અને અન્ય વાસ્તુ દોષોને નિવારી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં વાસ્તુદોષોનું નિવારણ
પાણીનો ઉપયોગ કરી દૂર કરી શકો છો મુશ્કેલીઓ
વરસાદનું પાણીથી થશે ધનલાભ
વરસાદનું પાણી: જ્યોતિષ શાસ્ત્રમાં વાસ્તુ દોષોને દૂર કરવા માટેના અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યાં છે જેમાંના કેટલાક ઉપાયો વરસાદનાં પાણીથી પણ થઇ શકે છે. છેલ્લા 2-3 દિવસમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ પાણીનો ઉપયોગ કરીને જીવનમાં આવી રહેલી આ મુશ્કેલીઓ કે ચિંતાઓને સરળતાથી નિવારી શકાશે.
લોનથી છૂટકારો મેળવવા માટે
ઘરમાં વધી રહેલી નકારાત્મક શક્તિઓને લીધે જો કોઇ વ્યક્તિ લોનનાં ભારથી વધું ગૂંચવાતો હોય તો વરસાદનું પાણી ચમત્કારી સિદ્ધ થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વરસાદનાં પાણીને ભેગું કરી અને હનુમાનને અર્પિત કરવું. સાથે જ મહિનાંમાં 52 વખત હનુમાનજીનો પાઠ કરવો. વરસાદનાં પાણીને ઘરનાં તમામ સદસ્યો પર છાંટી દેવાથી લોનનું ભારણ દૂર થશે.
એક બાલ્ટીમાં પાણી ભરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે દેવામુક્ત થવાં ઇચ્છો છો તો વરસાદનાં પાણીને એક બાલ્ટી એટલે કે એક ડોલમાં ભરીને રાખી દો અને તેમાં દૂધ ઉમેરો. હવે ભગવાનનું સ્મરણ કરી અને આખો મહિનો આ પાણીથી સ્નાન કરવું. આ ઉપાય શુભકારી માનવામાં આવે છે.
કારોબારમાં થઇ રહેલા નુક્સાન માટે..
જો કોઇ જાતકને વારંવાર ધંધામાં નુક્સાનીનો સામનો કરવો પડે છે તો વરસાદનાં પાણીને કોઇ પીત્તળનાં વાંસણમાં ભેગું કરો. ત્યારબાદ એકાદશીના દિવસે માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું આ પાણીથી અભિષેક કરવું. આ કરવાથી ધંધામાં વધારો થશે અને દિવસ રાત લાભ થશે.
જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છો અને તેની બહાર નિકળવા ઇચ્છો છો તો માટીનાં એક માટલાંમાં વરસાદનાં પાણીને એકત્રીત કરી તેને ઉત્તર દિશામાં રાખવાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓથી છૂટકારો મળશે.
ધનલાભ મેળવવા માટે લાભકારી
જો તમે તમારા ધનમાં વધારો કરવા ઇચ્છો છો તો એક વાટકીમાં વરસાદનું પાણી ભરી લેવું. ત્યારબાદ આ પાણી ભરેલી કટોરીને તડકામાં રાખવું અને પોતાના ઇષ્ટદેવનું નામ લેવું અને આ પાણીને કેરીનાં પાન પર છાંટવાથી માં લક્ષ્મી કૃપા વરસાવે છે.