ભારતમાં પાણીની તંગી બહુ મોટી સમસ્યા છે. વરસાદી પાણીનો સંચય અને ઉપયોગ કરવાની આ પદ્ધતિ માત્ર 12,000 રૂપિયામાં તમને જીવનભરની શાંતિ કરાવી આપશે.
ભારત જેવા દેશમાં પાણીની તંગીની સમસ્યા જનજીવનને સ્પર્શતી સૌથી મોટી સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે. દેશના ઘણા બધા વિસ્તારોમાં તો માધ્યમથી સારો વરસાદ પડતો હોવા છતાં લોકો માટે ઉનાળો કાઢવો ભારે પડી જતો હોય છે. આવું થવાનું એક મોટું કારણ એ પણ છે કે સરકાર કે લોકો દ્વારા પાણીના કુદરતી સંચય સ્થળો સિવાયના સંચય સ્થાનો ઊભા કરવા માટે નિરાશા દર્શાવવામાં આવી રહી છે. પણ અમે તમારા માટે એવો જોરદાર આઇડિયા લઈ આવ્યા છીએ કે જેનાથી તમારે હવે આખું વરસ પાણીની તંગીમાંથી મુક્તિ મળી જશે.
વરસાદી પાણીનો સંચય
ભારતમાં ત્રણ ઋતુઓની આબોહવા રહેલી છે જેમાં ચાર મહિના જેટલો સમય મોન્સુન એટલે કે ચોમાસું હોય છે. આ સમય દરમિયાન પડતાં વરસાદી પાણીનો જ જો સંચય કરવામાં આવે તો એનાથી સારું શું હોઈ શકે?
રૂફ ટોપ રેઈન હાર્વેસ્ટિંગ
રેઈન વોટર હાર્વેસ્ટિંગ એક એવો ઉપાય છે કે જાણ દ્વારા વરસાદી પાણીનો સંચય ખૂબ સરળતાથી કરી શકાય છે. ઘરની અગાશી પર પડતું પાણી મોટે ભાગે છતમા લગાવેલ પાઈપમાંથી પડીને ગટરમાં જતું રહે છે પણ જો આ પાઈપને ઘરની બહાર અંડરગ્રાઉન્ડ બોરવેલ કે કોઈ સિન્ટેક્સની ટાંકીમાં એકઠું કરવામાં આવે તો એને રૂફ ટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ કહેવામાં આવે છે.
રોજનું 164 લિટર પાણી વાપરો
એક હજાર સ્ક્વેર મીટર ધાબામાં માત્ર એક જ ઇંચ જેટલો વરસાદ જો પડે તો 2000 લિટર પાણી એકઠું કરી શકાય. જો તમારી સોસાયટી કે ગામમાં 500 મકાનો હોય તો બધા મળીને માત્ર એક ઇંચ વરસાદ પડે એ દરમિયાન 10 લાખ લિટર પાણી એકઠું કરી શકે. આ પાણી આમ તો વેડફાઇ જતું હોય છે પણ જો થોડી સ્માર્ટનેસ વાપરો તો આટલી મોટી માત્રામાં પાણી બચાવી શકાય!
હવે તમે જો માત્ર તમારા ઘર પૂરતી જ આ સિસ્ટમ ઘરે મુકાવેલી હોય અને આખા ચોમાસામાં જો 30 ઇંચ જેટલો વરસાદ પડે તો તમે પોતાના ઘર માટે 60 હજાર લિટર પાણી એકઠું કરી શકો છો. એટલે કે એક દિવસનું 164 લિટર પાણી ઉપયોગમાં લઈ શકાય.
અગાસી પરથી આવતું આ પાણી થોડું ગંદુ હોય એ શક્ય છે માટે સૌથી પહેલા તો આ પાણી પાઈપલાઇનથી ફિલ્ટરમાં દાખલ થાય છે. એટલે આ દરમિયાન તેમાંથી પાંદડા કે પથ્થર જેવિ અશુદ્ધિઓ દૂર થઈ જશે. આ રીતે આઉટપુટમાં બહાર મલેળ પાણી 250 માઈક્રૉન જેટલું બારીક ફિલ્ટ્રેશન થઈ ચૂક્યું હોય છે. વળી તમે જરૂરિયાત પ્રમાણે તેને ફિલ્ટર કરી શકો છો. તેને તમે ગરમ કરીને કે અલ્ટ્રા-વાયોલેટ-રેઝ જેવિ ફીલ્ટ્રેશન સિસ્ટમ્સ દ્વારા ફિલ્ટર કરી શકો છો. જેથી એકદમ બારીક જીવાતો કે બેક્ટેરિયા જેવા સજીવો પણ નાશ પામે છે. મોટર નાખીને આ પાણીને રસોડા સુધી પહોંચાડી શકાય છે.
ખર્ચ કેટલો થાય?
તમે કહેશો કે આઇડિયા તો અફલાતૂન છે પણ ખર્ચો? પૈસા કેટલા લાગશે એ તો કહો! હા હવે ખર્ચ વિષે પણ વાત કરી લઈએ. તો સૌથી પહેલા તો ફિલ્ટર્સનો ખર્ચ અંદાજે 4000 રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય તેનું ફીટીંગ, પાઇપ અને મોટર વગેરેનો ખર્ચ કુલ મળીને 12000 જેટલો થાય છે.
કઈ રીતે થાય છે સ્ટોર?
સરકારની ગાઈડલાઇન મુજબ આ માટે 1500 સ્ક્વેર ફિટ જગ્યામાં રિચાર્જ વેલ બનાવવાનો હોય છે જેમાં વરસાદી પાણીમાં સાદો કચરો નીચે બેસી જાય છે અને ત્યાર બાદ આ પાણી બીજા કૂવામાં પાણી જાય છે જેણે ઇન્જેકશન વેલ કહેવામાં આવે છે. ત્યાં એનું ફિલ્ટર કરવા માટે એક્ટીવેટેડ ચારકોલ ફિલ્ટર સિસ્ટમ તૈયાર કરવામાં આવી હોય છે. જેમાંથી પાણી ફિલ્ટર થઈને પરકોલેશન પાઈપના માધ્યમથી જમીનમાં 30 ફૂટ ઊંડે આ પાણી જમા થતું જાય છે. જ્યાં આ નાની મોટી તિરાડો દ્વારા અંદર ઉતરીને આ પાણી જમા થતું જાય છે. આ પાણીને તમે હેન્ડપંપ કે મોટર મૂકીને તમે પાછું ખેંચી શકો છો.
ખૂબ વધારે પડતો વરસાદ પડે તો?
જો ખૂબ વધારે વરસાદ પડે તો પણ વાંધો નહીં, કારણ કે આ સિસ્ટમ એક જ કલાકમાં 10000 લિટર જેટલું પાણી શોષી શકે છે. માટે મોટેભાગે કોઈપણ પરિસ્થિતિમાં આ સિસ્ટમ બંધ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
ફાયદા
તમે કહેશો કે આ બધી પ્રોસેસ કર્યા પછી મણે શું ફાયદો. તો હવે તમારા ફાયદાની વાત કરી લઈએ. વરસાદી પાણીમાં TDS ( ટોટલ ડિઝૉલ્વ્ડ સોલીડ્સ) નું પ્રમાણ નહીવત હોય છે. આ ઉપરાંત વિટામિન B12 પણ આ પાણીમાંથી મળી રહે છે. અને મિનરલ્સ પણ વરસાદી પાણીમાં વધારે હોય છે. માટે આ પાણી પીવા માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારું છે. આ ઉપરાંત પ્રથમ વરસાદ દરમિયાન વાલ્વ ખોલી નાખવાથી વાતાવરણની અશુદ્ધિઓ ધરાવતું પાણી આપોઆપ પણ દૂર થઈ જાય છે. પછીથી તમે પાણી સ્ટોર કરી શકો છો. આ સિવાય એકદમ ટાઈટ ઢાંકણનો ઉપયોગ કરવાથી બીજી કોઈ અશુદ્ધિ તેમાં ભળી શક્તિ નથી. અને આ રીતે પાણીનું બાષ્પીભવન પણ અટકાવી શકાય છે. આ સિવાય કોર્પોરેશન કે ટેન્કર પર આધાર રાખવાથી છુટકારો.
જો કે સૌથી મોટો ફાયદો તો છુપો ફાયદો છે અને એ છે પર્યાવરણનો ફાયદો. 2040 સુધીમાં ભારતના ઘણાં શહેરમાં ભૂગર્ભજળ ખાલી થઈ જવાની સંભાવના છે. જે ખતરાની ઘંટડી જેવા સમાચાર છે. પરંતુ આ રીતે જો બધા જ રેઈન વોટર હાર્વેસ્ટિંગ કરવા લાગે તો આ રીતે ભૂગર્ભ જળ રિચાર્જ કરી શકાય. આ રીતે ભવિષ્યમાં આ પદ્ધતિના અનેક ગણા ફળો ચાખવા મળશે. અને મેઇન ફાયદો તો રહી જ ગયો! એક વાર આટલો ખર્ચ કર્યા પછી તમારે આજીવન પાણી માટે પૈસા નહીં ખર્ચવા પડે અને અકારણ મહામૂલો સમય પણ નહીં બગાડવો પડે!