મધ્ય પ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજધાની ભોપાલમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના સરકારી બંગાળમાં નાળાનું પાણી ઘુસી ગયું છે.
મધ્ય પ્રદેશમાં અનરાધાર વરસાદ, જનજીવન ખોરવાયું
મધ્ય પ્રદેશના મોટા ભાગના જિલ્લામાં એલર્ટ
કેન્દ્રીય મંત્રીના બંગલામાં ઘૂસ્યા પાણી
દેશના ઉત્તર પૂર્વી ભાગ બાદ હવે વરસાદ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને તેલંગણા બાજૂ ફંટાયો છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજધાની ભોપાલમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના સરકારી બંગાળમાં નાળાનું પાણી ઘુસી ગયું છે. વરસાદની વચ્ચે નગર નિગમની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો બંગલો શ્યામલા હિલ્સ પર આવેલો છે. પાણી ઘુસ્યા બાદ કર્મચારીઓ આખી રાત ઘરમાંથી પાણી કાઢવામાં લાગી ગયા હતા.
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે મધ્ય પ્રદેશમાં 52માંથી 33 જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. વરસાદની વચ્ચે લોકો જીવ જોખમમાં નાખીને મુસાફરી કરી રહ્યા છે. રાજધાની ભોપાલમાં સતત વરસાદ થઈ રહ્યો છે. કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેનાથી લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ભોપાલના VVIP વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના બંગલાના પણ પાણી ઘુસી ગયા છે.
હકીકતમાં જોઈએ તો, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો નવો બંગલો શ્યામલા હિલ્સ પર બનેલો છે. થોડા મહિના પહેલા જ જ્યોતિરાદિત્ય સિંધિયા સહપરિવાર આ ઘરમાં શિફ્ટ થયા હતા. ભોપાલ આવતા ત્યારે આ બંગલામાં જ રોકાતા. ભોપાલમાં ભારે વરસાદના કારણે જ્યોતિરાદિત્ય સિંધિયાના બંગલામાં નાળાનું પાણી ઘુસી ગયું છે. કહેવાય છે કે, પાણીના કારણે કિમતી વુડન ફ્લોરને ભારે નુકસાન થયું છે. તેની જાણકારી હોવા પર નગર નિગમના કમિશ્નર અને PWD અધિકારી બંગલા પર પહોંચ્યા અને ઘટનાસ્થળે સમીક્ષા કરી હતી.
VVIP વિસ્તારમાં આવેલું છે આ ઘર
ભોપાલના નગર નિગમ કમિશ્નર વીએસ ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીના બંગળામાં પાણી ભરાયું છે. જેને કાઢવામાં આવી રહ્યું છે. અમને સૂચના મળતા ઘટના સ્થળે જઈને પાણીની સમીક્ષા કરી હતી. આપને જણાવી દઈએ કે, શ્યામલા હિલ્સમાં કેટલાય વીવીઆઈપી બંગલા આવેલા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના બંગલાની બાજૂમાં જ પૂર્વ સીએમ ઉમા ભારતી અને દિગ્વિજય સિંહનું ઘર છે. તો વળી એક કિમી દૂર સીએમ શિવરાજ સિંહ ચૌહાણનું નિવાસ સ્થાન આવેલું છે.