દિલ્હી-એનસીઆરના સહિતના ઘણા વિસ્તારોમાં શુક્રવાર મોડી રાત્રે ઝરમર વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે, શનિવારે દિલ્હી સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. વરસાદના કારણે આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે
22/01/2022: 02:10 IST; Light intensity rain would occur over and adjoining areas of entire Delhi and NCR (Loni Dehat, Hindon AF Station, Ghaziabad, Indirapuram, Chhapraula, Noida, Dadri, Greater Noida, Gurugram, Faridabad, Manesar, Ballabhgarh) Kurukshetra, Kaithal, Narwana,
— India Meteorological Department (@Indiametdept) January 21, 2022
દિલ્હીમાં આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવના
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, શનિવારે આકાશ વાદળછાયું રહેશે અને પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. તેમજ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન 16 ની આસપાસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે. વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની અસર ખતમ થતાં જ લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો થશે, જે સાત ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
ગઈકાલે સવારે 200 મીટરની વિઝિબિલિટી નોંધાઈ હતી
હવામાં ભેજનું પ્રમાણ ઊંચું અને નીચા પારાના કારણે દિલ્હી-એનસીઆર સવારે ધુમ્મસની ચાદરમાં લપેટાઈ જાય છે. શુક્રવારે સવારે પણ ધુમ્મસના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટીનું સ્તર 200 મીટર નોંધાયું હતું. જેના કારણે ઘણી ફ્લાઈટ અને ટ્રેનોના પૈડા પણ મોડા પડ્યા હતા. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદની સ્થિતિમાં ધુમ્મસમાંથી રાહત મળી શકે છે. જો કે, વરસાદની મોસમ પસાર થતાં ફરીથી ધુમ્મસ જોવા મળશે.
ગાઢ ધુમ્મસને કારણે વિમાનો અને ટ્રેનોની અવર-જવર બંધ
ગાઢ ધુમ્મસને કારણે ટ્રેનોની સાથે વિમાનોના સંચાલનને પણ અસર થઈ છે. શુક્રવારે સવારે 50 મીટરથી ઓછી વિઝિબિલિટી હોવાના કારણે ટ્રેનોની સ્પીડ થંભી ગઈ હતી, ત્યારબાદ દિલ્હી એરપોર્ટના રનવે પર ટેક્નોલોજીની મદદથી એરક્રાફ્ટની અવરજવર કરવામાં આવી હતી. 30 થી વધુ ટ્રેનો મોડી દોડવાને કારણે લગભગ 125 ફ્લાઈટને અસર થઈ હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે NOTAM લાગુ થવાને કારણે વિમાનોના સંચાલનને પણ અસર થઈ રહી છે.