જગતનો તાત લગાવી રહ્યો છે સાદ..કે આવ રે વરસાદ..જી હા જે ખેડૂત દિવસ રાત મહેનત કરીને દેશના કરોડો લોકોને અનાજ પુરુ પાડે છે.. તે ખેડૂતને સૌથી વધારે આશા હોય તો તે ચોમાસા પર હોય છે...પરંતુ જો ચોમાસું સારું ના આવે.ચોમાસું સીઝનમાં સારો પાક ના થાય તો ખેડૂતને ખાટલે મોટી ખોટ વર્તાય છે..ત્યારે શું ખરેખર ખેડૂતોને આ ખોટ પુરી કરવા કોઈ આયોજન હોઈ શકે...સરકાર કે તંત્ર કોઈ પ્રયાસ કરી શકે..આ સહિતના મુદ્દાઓને આજે આપણે ચર્ચવાના છીએ. મહાંથનમાં.ત્યારે બીજી એક વાત એ પણ છે કે ચોમાસાની ચર્ચા તો થાય છે પરંતુ ખેડૂતોને સામે ખર્ચા પણ એટલાજ થાય છે..ત્યારે આ ચર્ચા અને ખર્ચામાંથી ખેડૂત કેવી રીતે બહાર આવી શકે ..ખેડૂતો શું વાવે અને શું ના વાવે તો ફાયદો થાય તે પણ અગત્યનો મુદ્દો છે..માનો કે પાક નિષ્ફળ જાય તો તેણે પાકવિમા અંગે કેવી તૈયારીઓ કરવી જોઈએ....ખેડૂત પહેલાથી કેવી રીતે તૈયાર રહે તે સહિતના મુદ્દાઓ અંગે આજનું મહામંથન છે..ચોમાસાની ચર્ચા..ખેડૂતોને ખર્ચાના ખાસ વિષયમાં