યૂપીમાં અલગ અલગ સ્થાનો પર વીજળી પડવાની સાથે ગર્જના સાથે વરસાદ પડવાની શક્યતા છે તો સાથે ગુજરાતમાં આવનારા 5 દિવસ સુધી વરસાદની શક્યતા જોવા મળે છે.
હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં આવનારા 5 દિવસ સુધી રહેશે મેઘો મહેરબાન
યૂપીના આ વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે પૂરની સ્થિતિ
IMDએ સોમવારે કહ્યું કે ગુજરાતમાં આવનારા 5 દિવસ સુધી સક્રિય રૂપે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં આ વર્ષે સામાન્યથી લગભગ 50 ટકા સુધીનો ઓછો વરસાદ જોવા મળે છે. IMDના અમદાવાદના એક નિવેદનમાં કહેવાયું છે કે ગુજરાતના અનેક વિસ્તારો સૌરાષ્ટ્ર, કચ્છ અને કેન્દ્ર શાસિત દાદરા અને નગર હવેવી અને દમન અને દીવમાં પણ 4 સપ્ટેમ્બરની સવાર સુધી સામાન્યથી મધ્યમ વરસાદ થશે. આ સિવાય દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં અત્યારસુધી નોંધાયો આટલો વરસાદ
હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ગુજરાતમાં અત્યાર સુધી વરસાદમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સામાન્ય વરસાદ 576.5 કિમીના આધારે 288.6 મીમી નોંધાયો છે. વિભાગનું કહેવું છે કે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
યૂપીમાં સામાન્યથી મધ્યમ વરસાદ
યૂપીમાં અનેક સ્થાનોએ છેલ્લા 24 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદ થયો છે અને સાથે હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વી ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થાનોએ વરસાદ થયો છે તો યૂપીમાં પણ અનેક સ્થાનોએ વરસાદ થયો છે. રાજ્યમાં અનેક સ્થાનો પર વીજળી પડવાની સાથે છાંટા પડ્યા હતા. ખીરી, ગોંડા, મેનપુરી, લખનઉ, કાનપુર દેહાત, ફર્રખાબાદ, ફિરોઝાબાદ, સહારનપુર, કન્નોજ, બહરાઈચ, પ્રયાગરાજ, ગાઝીપુર, બલરામપુર, ગોંડા અને શ્રાવસ્તીમાં વરસાદ નોંધાયો છે.
મંગળવારે આ જગ્યાઓએ વરસાદની કરાઈ છે આગાહી
હવામાન વિભાગે કહ્યું છે કે મંગળવારે યૂપી અને ગુજરાતમાં સામાન્ય વરસાદની સાથે વાદળોની ગર્જનાનો અનુભવ થઈ શકે છે. આ સિવાય અનેક સ્થળોએ વીજળી પડવાની શક્યતા પણ છે. કોઈ પણ રાજ્યમાં પૂરની કોઈ સ્થિતિ જોવા મળશએ નહીં. જો કે અમુક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આ વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી માટે ટીમ પહેલાથી તૈયાર કરી દેવામાં આવી છે.
ઉત્તરાખંડના પિથૌરાગઢમાં મકાન ધસી જતા 5 લોકોના મોત
પિથૌરાગઢના ઘારચૂલાના એક ગામમાં ભારે વરસાદના કારણે 3 મકાન ધસી ગયા હતા અને કુલ 5 લોકોના મોત થયા છે. 2 વ્યક્તિઓ ઘાયલ થયા છે. તો અન્ય લોકોની શોધ ચાલી રહી છે. રવિવારે મોડી રાતે આ દુર્ઘટના બની હતી.