સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. એવો વરસાદ રાજ્યના અનેક વિસ્તારમાં વરસ્યો છે કે નદી-નાળા ફુલ થઈ ગયા છે. ડેમ-ચેકડેમ ફુલ થયા છે. તો આફતના વરસાદે અનેક ગામને બેટમાં ફેરવી દીધા છે. તો ક્યાંક નદી વચ્ચે આવેલા મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે ભરૂચમાં અને નર્મદા જિલ્લામાં પુરની સ્થિતિ સર્જાય તેવાં ભણકારા વાગી રહ્યા છે.
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર
ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ
ભરૂચ શહેર પર ખતરો
ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં નર્મદા નદીમાં જળસ્તર ભયજનક સપાટી પર પહોંચ્યું છે. ભરૂચના ફુરજા બંદર સુધી નદીના પાણી ફરી વળ્યા છે. નર્મદા નદીમાં પાણીની આવક યથાવત છે. હાલ સરદાર સરોવર ડેમમાંથી 8.24 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી
ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ગોલ્ડન બ્રીજ ખાતે જળસપાટી 24 ફૂટે પહોંચી છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 3 તાલુકામાંથી 2013 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
NDRFની ટીમ સ્ટેન્ડબાય
સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાતા નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે. જેને લઇને NDRFની ટીમને વડોદરા અને ભરૂચ શિફ્ટ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સંભાવના છે. જેથી NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
મધ્યપ્રદેશમાંથી ઇન્દિરા સાગર ડેમના તમામ 20 દરવાજા ખોલાયા છે. આ ડેમનું પાણી સરદાર સરોવર ડેમમાં આવી રહ્યુ છે.ચાંદોદ અને ગોરા ગામમાં મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ગોરા બ્રિજ પાસે હનુમાન મંદિરમાં પાણી ભરાઇ ગયા છે. નર્મદા નદી પાણી પાણી થઈ છે. મધ્યપ્રદેશમાંથી ઇન્દિરા સાગર ડેમના તમામ 20 દરવાજા ખોલાયા છે. આ ડેમનું પાણી સરદાર સરોવર ડેમમાં આવી રહ્યુ છે. વિપુલ માત્રામાં પાણી સાથે ઇન્દિરા સાગર ડેમનો અદભુત નજારો પણ જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થતાં તમામ ડેમો ભરાઈ ગયા છે.