રાજ્યમાં ગુરૂવારથી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. રાજ્યમાં સિઝનનો 120 ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. 21થી 26 સપ્ટેમ્બર સુધી કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ થશે.
પાંચ દિવસ વરસાદની આગાહી
21થી 26 સપ્ટેમ્બર થઇ શકે વરસાદ
અંબાલાલ પટેલ પણ કરી ચૂક્યા છે આગાહી
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે ગુજરાતના વરસાદ અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં ચોમાસું લંબાવાની શક્યતા છે. આ સાથે જ 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ઠેર-ઠેર છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે.
ઓક્ટોબરમાં પણ વરસાદી માહોલ
અંબાલાલ પટેલે VTV સાથે વાતચીત કરતા જણાવ્યું કે, વરસાદી સિસ્ટમ બનશે તો 5 ઓક્ટોબર સુધી વરસાદ રહેશે. તો આ સાથે જ ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
મધ્ય ગુજરાતના વરસાદ અંગે વાત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ છૂટાછવાયો વરસાદ થવાના એંધાણ છે. તો આ સાથે જ રાજ્યના હવામાન ખાતાએ પણ ઠેર-ઠેર વરસાદ થવાની આગાહી કરેલ છે.
છોટાઉદેપુરમાં વરસાદી માહોલ
છોટાઉદેપુરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. ભારે પવન સાથે વરસાદથી વાહનચાલકોને મુશ્કેલી થઇ છે. તેજગઢ નજીક રોડ પર અનેક વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયા છે. આ ઘટનાને પગલે બોડેલી રોડ પર વાહનોની લાંબી કતાર જોવા મળી છે.
પંચમહાલ વરસાદને પગલે ઠંડક પ્રસરી
પંચમહાલ જિલ્લામાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ગોધરા સહિતના વિસ્તારોમાં ધીમો વરસાદ શરૂ થયો છે. પવન સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઇ છે. તો આ તરફ અમરેલીના રાજુલા, જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
જાફરાબાદના લોર, ફાસરીયા ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તેમજ રાજુલાના ડુંગર, વિકટર, કથીવદર જેવા વિસ્તારમાં વરસાદ થયો છે. આ પંથકમાં વરસાદ પડતા સમગ્ર વાતાવરણ ઠંડો બની ગયો છે.
અમરેલીમાં વિરામબાદ મેઘરાજાનું આગમન થયું છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો. જાફરાબાદના લોર અને ફાસરીયા ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. જ્યારે રાજુલાના ડુંગર, વિકટર અને કથીવદર જેવા વિસ્તારમાં વરસાદ વરસ્યો. પંથકમાં વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી.