દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે બપોર બાદ વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. વરસાદને કારણે ટ્રાફિકને અસર થઈ હતી. ગાઢ વાદળોને કારણે બપોરે વિઝીબલીટીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો.
રાજધાની દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ
બરફના કરા પડતા ઠંડીનો માહોલ
ઉલ્લેખનીય છે કે, ભારે પવન અને ત્યારબાદ ઠંડીનો અહેસાસ થતા લોકો પણ વિચારમાં મુકાયા હતા. ત્યારે આ વરસાદને પગલે માર્ચ મહિનામાં દિલ્હીમાં વરસાદે રેકોર્ડ તોડ્યો હતો.
Delhi: Rain lashes parts of the city; visuals from Rajpath and Parliament street. pic.twitter.com/NdiWBdvTZN
આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે શનિવારે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 72 કલાકની અંદર ભાર પવન તથા બરફવર્ષા થઇ હતી. ત્યારે હજી ઉંચાઇવાળા વિસ્તારમાં બરફનો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા બે દિવસથી દિલ્હામાં ફૂંકાઇ રહ્યો છે ભારે પવન
છેલ્લા બે દિવસથી દિલ્હીમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. બુધવારે રાત્રે દિલ્હીના અનેક ભાગોમાં પણ વરસાદ પડ્યો હતો. ગુરુવારે સવારથી જ દિલ્હી-એનસીઆરના મોટાભાગના ભાગોમાં તડકો જોવા મળ્યો હતો.
માર્ચ-2015માં પડ્યો હતો વરસાદ
આપને જણાવી દઇએ કે, 2 માર્ચ 2015માં દિલ્હીમાં 56.8 મીમી વરસાદ પડ્યો હતો. 11 માર્ચ 2015ના મહિનામાં રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં 62.2 મિમી વરસાદ નોંધાયો હતો.
#WATCH Weather change in Delhi; Rain accompanied with hailstorm lashes parts of the national capital. Visuals from South Delhi. pic.twitter.com/JSgoa8de1f
ઉત્તરકાશી જિલ્લાના તમામ તહેસીલ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ધારસુ નજીક કાટમાળને કારણે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરાયો હતો. જે બીઆરઓ દ્વારા સરળ બનાવવામાં આવી છે. દામતા નજીક ટેકરી વિરામના કારણે યમુનોત્રી હાઇવે અવરોધિત થઈ ગયો છે. હાઈવે પર કુથનનોર નજીક પણ ડેબ્રીસ આવી ગયો છે. હાઇવેને ખોલવાનું કામ યુદ્ધ કક્ષાએથી ચાલી રહ્યું છે. યમુનોત્રીધામ અને આસપાસના વિસ્તારમાં રાતથી બરફવર્ષા થઈ રહી છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારો અને યમુનાઘાટીમાં સતત વરસાદને પગલે ઠંડીમાં વધારો થયો હતો
ગુજરાતમાં ત્રણ ઋતુ જેવો માહોલ
ગુજરાતમાં હાલ કઈ ઋતુ ચાલી રહી છે તે કહેવું મુશ્કેલ થઈ પડ્યુ છે. કારણ કે, ગરમીની મોસમમાં વરસાદ પડી રહ્યો છે અને એટલું જ નહીં પરંતુ વહેલી સવારે અને મોડી રાતે કાતિલ ઠંડી પડી રહી છે. સ્વેટર અને શાલ જે ધોવાઈને માળિયે ચઢી ગયા હતા તે ફરીથી બહાર કાઢવાનો સમય આવી ગયો હોય તેવું લાગી રહ્યુ છે. મોસમ પણ મિસઅન્ડસ્ટેન્ડિંગ કરતુ હોય તેવો ઘાટ ઘડાયો છે.
ઉત્તર પ્રદેશમાં વીજળી પડતા 33ના મોત
હવામાનનો માર સહન કરી રહેલા ખેડૂતોની રહીસહી આશાઓ પર હવે પાણી ફરી વળ્યું છે. ઉત્તરપ્રદેશમાં ગઇ કાલે સવારથી જ તોફાન અને વરસાદ તેમજ બરફ વર્ષાએ તબાહી મચાવી હતી. વીજળી, ઝાડ અને દીવાલ પડવાથી અહીં ૩૩ લોકો મૃત્યુ પામ્યા છે. એકલા અવધમાં જ ૧૩ લોકોનાં મોત થયાં છે. પશ્ચિમી વિક્ષોભના કારણે એક અઠવાડિયામાં બીજી વાર પ્રકૃતિની મારના કારણે હજારો હેક્ટરમાં ઊભેલો પાક બરબાદ થઇ ગયો છે. ઘઉં, ચણા, બટાકા, વટાણા અને મસૂરનો ૬૦ ટકા પાક ખેતરોમાં જ બરબાદ થઇ ગયો છે. અવધના ઘણા જિલ્લામાં ગઇ કાલે તોફાન સાથે વરસાદ અને કરા પડવાથી ૧૩ના મૃત્યુ થયાં છે. સીતાપુર જિલ્લામાં દીવાલ પડવાથી આઠ લોકો અને બારાબંકીમાં બે લોકો મૃત્યુ પામ્યા છે. બલરામપુર, અયોધ્યા અને બહરાઇચમાં એક એક મૃત્યુ થયાં છે. બહરાઇચમાં વરસાદ અને તોફાનની વચ્ચે સ્કૂલથી પરત ફરી રહેલા બાળકો પર વીજળીનો થાંભલો પડતાં એક માસૂમનું મૃત્યુ થયું છે. બહરાઇચમાં ૩૩.૧, જ્યારે લખનઉમાં ૧૨ મીમી પાણી વરસ્યું હતું.