કેરળમાં આવેલા જળ પ્રલયનો કહેર રવિવારે ઓછો થતો દેખાઈ રહ્યો છે. શુક્રવારથી વરસાદ ઓછો થવાના કારણે સ્થિતિમાં હવે સુધાર જોવા મળી રહ્યો છે. જો કે હવે રિલીફ કેમ્પોમાં રોકાયેલા લગભગ 20 લાખ લોકો બીમારીનો ભોગ બને તેવી સ્થિતિ પેદા થઈ છે. ગઈ 8 ઓગસ્ટથી થઈ રહેલા સતત વરસાદને પગલે વિતેલી એક સદીનુ સૌથી ખતરનાક પૂર આવ્યું છે.
જો કે હવામાન વિભાગે રવુવારે કેટલાક વિસ્તારોમાં જ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે અને તમામ વિસ્તારોમાં પૂરના પાણી ઓસરવા લાગ્યા છે. ઘરો અને છતો પર ફસાયેલા લોકોને બચાવવા માટે સેના એનડીઆરએફ સહિત તમામ સરકારી એજન્સિઓ સમગ્ર રીતે કામે લાગી છે.
આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ જોનારા હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓફિસરે જણાવ્યુ હતુ કે ઓથોરિટીઝે એવા ત્રણ લોકોને અલુવાના એક રિલીફ કેમ્પથી અલગ કરી દીધા છે જે ચિકનપોક્સનો શિકાર હતા.
તેઓએ જણાવ્યુ હતુ કે સ્વાસ્થ્ય વિભાગ પ્રદૂષિત જળ અને વાયુથી પેદા થનારી બીમારિઓના જોખમને પહોંચી વળવા માટેની તૈયાર કરી રહ્યા છે. ત્રણ મહિના પહેલા શરૂ થયેલા મોનસૂનના વરસાદ બાદ અત્યાર સુધી 2 લાખ લોકોને રિલીફ કેમ્પોમાં શરણ લઈ ચુક્યા છે. શનિવારે પીએમ મોદીએ ઘણા વિસ્તારોનો સર્વે કર્યા બાદ 500 કરોડની રાહત રાશિ નું એલાન કર્યુ હતુ.