વિદેશયાત્રા ની પેટર્ન પર હવે રેલવે તંત્ર પણ રેલવે ની ટિકિટ આપશે હવે ટ્રેનમાં પ્રવાસ કરવા ઇચ્છતા પ્રવાસીઓએ તેમના પર્વસની વિસ્તૃત માહિતી વિદેશ યાત્રા ની જેમજ આપવી પડશે તો જ તેમને રેલવેની પ્રવાસ ટિકિટ મળશેખાસ કરીને પ્રવાસીને જે સ્થળે જવાનું હશે તે સ્થળ પર રહેવાની વ્યવસ્થા એટલે કે એ જ્યાં પ્રવાસ બાદ રહેવાના હોય તે સ્થળનું સરનામું લખવું પડશે હાલમાં શરૂ થઇ રહેલી આ વ્યવસ્થા કાયમી ધોરણે ચાલુ રહેશે
વિદેશ યાત્રાની જેમ જ ટ્રેનમાં સફર કરવા માટે આપવી પડશે વિસ્તૃત માહિતી
તંત્રને જરૂરત પડે ત્યારે જે તે વ્યક્તિ ની ભાળ આસાનીથી મળી શકશે
અત્યાર સુધી રેલવે ટિકિટ ખરીદતી વખતે ફોર્મમાં માત્ર પ્રવાસીએ પોતાનું સરનામુ જ લખવું પડતું હતું પરંતુ હવે જે તે સ્થળે રોકાવાનું સરનામું પણ આપવું પડશે જેથી તંત્રને જરૂરત પડે ત્યારે જે તે વ્યક્તિ ની ભાળ આસાનીથી મળી શકે. કોવીડ - 19 ના સમયની સાથે દર્દીઓ ની ટ્રાવેલ હિસ્ટ્રી ની જાણકારી મેળવવા માં તંત્રને મુશ્કેલી પડી હતી.
કોરોના સંક્રમિત પ્રવાસી ક્યાં ગયા, તેમની સાથે પ્રવાસમાં કોણ હતું, તેની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. રેલવે ની પાસે પહેલેથી જ પ્રવાસીની પુરી જાણકારી હશે તો પ્રવાસી જે તે સ્થળે ઉતર્યા બાદ લોકડાઉન સમયમાં તેને આગળ જવા માટે ટેક્સી ની વ્યવસ્થા નહીં હોય તો રેલવે તંત્ર કરી આપશે. એક્સપ્રેસ ટ્રેનો નો પહેલો લોકડાઉન તબક્કો 22 મેના રોજ પૂરો થઇ જશે. હવે પછીનો નિર્ણય બે દિવસમાં જાહેર કરવામાં આવશે. બીજા તબક્કામાં જે ટ્રેનો શરૂ થશે તો એ સી ટ્રેનો ની સંખ્યા વધી શકે છે.
નોંધનીય છે કે આ અગાઉ રેલવેને સામાન્ય જનતા માટે બુકિંગ શરુ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ થોડા સમયમાં જ આ યોજના રદ કરીને શ્રમિકો માટેની સ્પેશ્યલ ટ્રેન જ દોડાવાની જાહેરાત કરી હતી અને જૂન સુધીના તમામ બુકિંગ રદ કરી દીધા હતા.