બ્રેકિંગ ન્યુઝ
VTV / Railways took a big decision cancellation ticket will not be charged
Last Updated: 04:54 PM, 17 June 2022
ADVERTISEMENT
વિરોધ પ્રદર્શન
સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલ સશત્ર બળની ભર્તી માટે અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ દેશના ઘણા રાજ્યોમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. સેનામાં ભર્તી થવા માટેના ઉમેદવારો બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ, તેલંગાણામાં ઘણી ટ્રેનોને ભારે નુકશાન પહોચાડ્યું છે અને ઘણાંમાં તો આગ લગાડવામાં આવી છે. આ પરિસ્થિતિ જોતા ભારતીય રેલ્વેએ ઘણી ટ્રેનોને રદ કરી છે. ટ્રેન કેન્સલ થતા યાત્રીઓની મુશ્કેલીઓ વધી છે આ જોઈએ રેલ્વેએ યાત્રીઓને એક રાહતના સમાચાર આપ્યા છે. ટીકીટ કેન્સલ કરવા પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહી.
રેલ્વેમાં કરી તોડફોડ
અગ્નિપથ યોજના સામે શુક્રવારથી જ વિરોધ પ્રદર્શન ચાલુ છે. આજ બિહાર અને ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યું છે. યુપીના બલિયા રેલ્વે સ્ટેશને વિદ્યાર્થીઓ એકઠા થઇ ગયા હતા અને એક ટ્રેનમાં આગચંપી કરી દીધી હતી. બિહારના લખ્ખીસરાય રેલ્વે સ્ટેશનમાં પણ પ્રદર્શનકારીઓ એ વિક્રમશીલા એક્સપ્રેસ રોકીને તોડફોડ કરી હતી.
ADVERTISEMENT
આજે થઇ આટલી ટ્રેનો કેન્સલ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.