અને અત્યાર સુધી 30 ટ્રેનો ચાલી રહી છે. આ ટ્રેનો માટે આજથી એડવાન્સ બુકિંગની સુવિધા પણ શરૂ કરી દેવાઇ છે. હવે યાત્રિકો ચાર મહિના પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ કરી શકશે. સાથે જ તત્કાલ ટિકિટ બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. જો કે ભારતીય રેલવેએ એડવાન્સ બુકિંગના નિયમોમાં કેટલાક બદલાવ કર્યા છે.
લોકડાઉન-4 બાદ હવે રેલવે વિભાગે 230 ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. લોકડાઉનમાં 30 દિવસ પહેલા ટિકિટ રિઝર્વેશન કરવાની સુવિધા હતી હવે તે વધી અને 120 દિવસ પહેલા ટિકિટ રિઝર્વેશન કરી શકાશે. 230 સ્પેશિયલ ટ્રેનમાં યાત્રીઓ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગની સાથે દેશભરમાં બે લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર, યાત્રી સુવિધા કેન્દ્ર, પોસ્ટ ઓફિસમાંથી પણ ટિકિટ બુકિંગ કરી શકાશે. કોરોના વાયરસના કારણે કેટલાક નવા નિયમો સાથે ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. જેમાં ટિસી માટે પણ નિયમો બનાવાયા છે. જેમાં તેમને ગ્લવ્સ, ફેસ શિલ્ડ માસ્ક પણ આપવામાં આવશે.