ભારતીય રેલવેએ 12 સપ્ટેમ્બરથી 80 નવી વિશેષ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે 10 સપ્ટેમ્બરથી બુકિંગ કરી શકાશે. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમારે શનિવારે જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વે 12 સપ્ટેમ્બરથી 40 જોડી વિશેષ ટ્રેનો દોડાવશે. જેના માટે 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન શરૂ કરવામાં આવશે.
ભારતીય રેલવેની જાહેરાત
12 સપ્ટેમ્બરથી 80 નવી વિશેષ ટ્રેનો શરૂ કરશે
10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન કરાશે શરૂ
રેલ્વે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે આ 40 જોડી એટલે કે 80 સ્પેશિયલ ટ્રેનો પહેલાથી જ ચાલી રહેલી 230 ટ્રેનો ઉપરાંત દોડાવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યોની માંગ અને જરૂરિયાત મુજબ ટ્રેનો દોડાવવામાં આવશે.
Railways to run 40 pairs of new special trains from September 12. Reservation for these will begin from September 10: Vinod Kumar Yadav, Chairman Railway Board (File pic) pic.twitter.com/fGw456HUrR
રેલવે બોર્ડના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, જે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. તેના પર નજર રાખવામાં આવશે. જ્યાં ટ્રેનની માગ હશે અને વેઇટિંગનું લિસ્ટ લાંબુ હશે, જ્યાં એક્ચ્યુઅલ ટ્રેનની પહેલા ક્લોન ટ્રેન ચલાવવામાં આવશે.
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આ નિયમોનું ફરજીયા પાલન કરવું પડશે
રેલવેએ સ્ટેશન પરિસરમાં અને મુસાફરી દરમિયાન પણ ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. બધા મુસાફરોએ સ્ટેશન પર થર્મલ સ્ક્રિનીંગ માટે ઓછામાં ઓછા 90 મિનિટ અગાઉ સ્ટેશન પર પહોંચવું જરૂરી છે.
Will monitor special trains; wherever there is demand for a train or waiting list is long, will run a clone train: Rail Board Chairman
ફક્ત તે જ લોકો કે જેઓ કોરોનાનાં ચિહ્નો જોવા મળશે નહીં, તેમને ખાસ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય તમામ મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે.
મુસાફરોએ તેમના મોબાઇલ પર આરોગ્ય સેતુ એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરવાની રહેશે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ભારતીય રેલ્વે મુસાફરોને ઓશિકા, ધાબળા, પડધા જેવી ચીજો આપવામાં આવશે નહીં