તહેવારની સિઝનમાં ભારતીય રેલવેએ પ્રવાસીઓને મોટી ભેટ આપી છે. રેલવેએ વધારે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. પ્રવાસીઓની સુવિધાઓ માટે આજથી 392 વિશેષ રેલવે ટ્રેન ચલાવવામાં આવશે.
આજથી 392 વિશેષ રેલવે ટ્રેન ચલાવવામાં આવશે
આ ટ્રેનો 20 ઓક્ટોબરથી 30નવેમ્બર સુધી ચલાવવામાં આવશે
સામાન્ય ટ્રેનો કરતા 30 ટકા વધારે ભાડુ વસૂલવામાં આવશે
પશ્ચિમ રેલવેના જણાવ્યાનુંસાર 392 સ્પેશિયલ ટ્રેનમાં 5 જોડી બ્રાંદા ટર્મિનસથી, 2-2 જોડી ઈન્દોર અને ઉધનાથી ચલાવવામાં આવશે. ત્યારે 1-1 જોડી ઓખા, પોરબંદર અને ગાંધીધામ સ્ટેશનોથી ચાલશે. રેલવેના જણાવ્યાનુંસાર આ તમામ ટ્રેનો આરક્ષિત રહેશે.
For the convenience of passenger & to clear the rush during the forthcoming festive season, WR will run 118 services of 7 Festival Special trains to various destinations.
રેલવે દ્વારા તમામ સ્પેશિયલ ટ્રેનોનું વિશેષ ભાડુ વસૂલવામાં આવશે. જો તમે મુસાફરી કરવા માંગો છો તો ધ્યાન રાખજો કે આનું બુકિંગ 20 ઓક્ટોબરથી આજથી 22 ઓક્ટોબરની વચ્ચે કરી શકાય છે. જોકે પ્રવાસીઓને સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે.
રેલવેએ એલાન કર્યુ છે કે દુર્ગાપુજા, દશેરા, દિવાળી અને છઠને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર અને નવેમ્બરની વચ્ચે રેલવેએ 392 તહેવાર સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો 20 ઓક્ટોબરથી 30નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. વિશેષ ટ્રેન કોલકત્તા, પટના, વારાણસી, લખનૌઉ જેવા શહેરો માટે ચલાવવામાં આવશે.
રેલવે ટ્રેનોનું ભાડુ સામાન્ય ટ્રેનો કરતા વધારે વસૂલશે. આ સ્પેશિયલ ટ્રેનોનું ભાડું સામાન્ય ટ્રેન કરતા 30 ટકા વધારે રહેશે. ઉલ્લેખનીય છે કે રેલવે રોજની 12 હજાર ટ્રેન ચલાવી રહ્યું છે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી ધીરે ધીરે ટ્રેનો શરુ કરવામાં આવી રહી છે. જોકે તમામે કોરોનાને લગતા સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું રહેશે. નહીંતર જેલની સજા થઈ શકે છે.