ચીની કંપનીને વધુ એક ફટકો. રેલવેએ શુક્રવારે 471 કરોડ રુપિયાનો કરાર તોડી નાંખ્યો છે. ચીની કંપન બીજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કોમ્પ્યુનિકેશન ગ્રુપ કંપની લિમિટેડને 2016માં કાનપુર અને મુગલસરાયની વચ્ચે 417 કિલોમીટર લાંબા રેલ ખંડ પર સિગ્નલ અને દુર સંચારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં કામમાં ધીમી પ્રગતિને કારણે કંપનીના કોન્ટ્રાક્ટને ગત મહિને જ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. આ અંગેનો ટર્મિનેશન લેટર શુક્રવારે જ જાહેર કરવામાં આવ્યો છે.
વિશ્વ બેંકને કરાર રદ્દ કરવા અને આ કામ માટે તેમના દ્વારા ફંડ આપવાની માહિતી આપી
ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના વ્યવસ્થાપક નિર્દેશક અનુરાગ સચાને ચીની કંપનીને 14 દિવસની નોટીસ જાહેર કરી હતી. આ બાદ ટર્મિનેશન લેટર રજૂ કરવામાં અવ્યો છે. હકિકતમાં કંપનીને 2019 સુધીમાં કામ પુરુ કરવાનું હતું. પરંતુ હજુ સુધી માત્ર 20 ટકા કામ જ થયું છે. તેમણે જણાવ્યું કે એપ્રિલમાં ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવા માટે વિશ્વ બેંકને જાણકારી આપી હતી.
આ પ્રોજેક્ટમાં વિશ્વ બેંક જ પૈસા આપી રહ્યુ છે. સચાને કહ્યું કે અમે વિશ્વ બેંકના એનઓસી નથી મળી પરંતુ અમે વિશ્વ બેંકને કરાર રદ્દ કરવા અને આ કામ માટે તેમના દ્વારા ફંડ આપવાની માહિતી આપી દીધી છે. જો કે આ નિર્ણયને ગત મહિને ગલવાનમાં ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનના શહીદ થવા સાથે જોડવામાં આવી રહી છે.