વધતી મોંઘવારીની વચ્ચે રેલ્વેએ પણ સામાન્ય લોકોને મોટો ઝટકો આપ્યો છે. લોકલ ટ્રેન અને પ્લેટફોર્મ ટિકિટોના ભાવમાં ભારે વધારો કરવામાં આવ્યો છે.
કોરોના સંકટ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય
કેટલાક સ્ટેશન પર વધાર્યા પ્લેટફોર્મ ટિકિટના ભાવ
હંગામી ધોરણે અમલી બનાવાયો ભાવ વધારો
જેની સીધી જ અસર સામાન્ય લોકો પર પડી રહી છે. રેલ્વેએ હવે પ્લેટફોર્મ ટિકિટ 10 થી 50 રૂપિયામાં વધારી દીધી છે. હવે રેલ્વે પણ તેના નિર્ણય પાછળનું કારણ જણાવ્યું છે.
પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 50 રૂપિયા કરાયો
ભારતીય રેલ્વેએ જણાવ્યું કે તાજેતરમાં કેટલાક સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારીને 50 રૂપિયા કરવામાં આવી છે. રેલ્વે કહે છે કે તેમનો નિર્ણય હંગામી છે અને કોરોના યુગમાં સ્ટેશનો પર ભીડ ઓછી કરવાના હેતુથી કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
આજથી દિલ્હીમાં શરૂ કરાયું પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ
કોરોના યુગમાં લોકડાઉન થયા બાદ પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ થઈ ગયું હતું, પરંતુ દિલ્હીના તમામ મુખ્ય રેલ્વે સ્ટેશનો પર આજે બપોરે 12 વાગ્યાથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ શરૂ થઈ જશે. તે જ સમયે, દેશના અન્ય ઘણા શહેરોમાં પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 રૂપિયા રાખવામાં આવી છે.
મુંબઇમાં 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા ભાવ કરવામાં આવ્યો
આ પહેલા મુંબઈમાં મધ્ય રેલવેએ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને ગરમીની સિઝનમાં પ્લેટફોર્મ પર વધુ ભીડ ન થાય તે માટે કેટલાક અગત્યના સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારવામાં આવ્યો છે.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ આપ્યું નિવેદન
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે, મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ તથા નજીકના ઠાણે, કલ્યાણ, પનવેલ અને ભિવંડીમાં પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયાની જગ્યાએ 50 કરવામાં આવેલ છે. નવા ભાવ 1 માર્ચથી 15 જૂન સુધી લાગુ કરવામાં આવ્યા છે.