રેલવેના પશ્ચિમ, ઉત્તર અને મધ્ય રેલવે ઝોને તેના માટે નાગપુરના એક સ્ટાર્ટઅપ ઈઝોપિસ્ટને કોન્ટ્રેક્ટ આપ્યો છે.
રેલવેને દર વર્ષે થાય છે હજારો કરોડોનો ખર્ચ
ગુટખાના ડાગ સાફ કરવામાં થાય છે ખર્ચ
હજારો લિટર પાણીનો પણ થાય છે વ્યય
દેશભરમાં સ્વચ્છતા અભિયાનને લઈને સતત લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે સરકાર પણ લોકોને પોતાની આસપાસ સફાઈ રાખવાની અપીલ કરે છે. પરંતુ શહેરોથી લઈને રેલવે સ્ટેશનો પર સામાન્ય લોકો હજુ પણ ગંદકી ફેલાવી રહ્યા છે. જેનાથી સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. આટલા પ્રયત્ન બાદ પણ સાર્વજનિક સ્થાનો પર ગુટખા ખાઈને થુકવું લોકો માટે ખૂબ જ સામાન્ય બાબત છે.
સફાઈ પર કરોડો રૂપિયાનો ખર્ચ
ભારતીય રેલવે દર વર્ષે ગુટખા થુક્યા બાદ થયેલી ગંદકીને સાફ કરવા પર લગભગ 1200 કરોડ રૂપિયા અને લાખો લિટર પાણીનો ખર્ચ કરે છે. આ આંકડો કોઈ પણ જાણીને ચોંકી શકે છે પરંતુ દેશમાં રેલવે સ્ટેશન અને ટ્રેનોની સંખ્યાની સાથે સાથે યાત્રીઓની સંખ્યાને જોતા દરેક રકમ બરાબર લાગે છે. કોરોના કાળમાં લોકોને સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમ છતાં લોકોએ પોતાના વર્તનમાં જરા પણ સુધાર નથી કર્યો.
હવે રેલવેએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અલગ રીત શોધી નાખી છે. રેલવે સ્પિટૂનની વેન્ડિંગ મશીનો અથવા કિયોસ્ક લગાવવા જઈ રહ્યા છે જ્યાંથી તમે થુકવા માટે સ્પિટૂન પાઉચ ખરીદી શકો છો જેની કિંમત ફક્ત 5થી 10 રૂપિયાની વચ્ચે હશે. હાલ યાત્રીઓના ઉપયોગ માટે દેશના 42 સ્ટેશનો પર આવા સ્ટોલ શરૂ કરવાની યોજના છે.
હવે તૈયાર કર્યો આ પ્લાન
રેલવેના પશ્ચિમ, ઉત્તર અને મધ્ય રેલવે ઝોને તેના માટે નાગપુરના એક સ્ટાર્ટઅપ ઈજીપિસ્ટને કોન્ટ્રેક્ટ આપ્યો છે. આ પીકદાનને કોઈ પણ વ્યક્તિ સરળતાથી પોતાના ખિસ્સામાં રાકી શકે છે. આ પાઉચની મદદથી યાત્રી વગર કોઈ દાગે ક્યાંય પણ થુકી શકે છે. આ બાયોડિગ્રેડેબલ પાઉચને 15-20 વખત યુઝ કરી શકાય છે. આ થુકને કડક પદાર્થમાં બદલી નાખે છે. એક વખત સંપૂર્ણ રીતે ઈસ્તેમાન કર્યા બાદ આ પાઉચોને માટીમાં નાખી દેવામાં આવે છે. જ્યાર બાદથી તે સંપૂર્ણ રીતે તેમાં ભળી જાય છે.
નાગપુર સ્થિત કંરનીના સ્ટેશનો પર ઈઝીસ્પિટ બેન્ડિંગ મશીન લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમને નાગપુર નગમ નિગમ અને ઔરંગાબાદ નગર નિગમની સાથે પણ કરાર કરવામાં આવ્યો છે. ઈઝીસ્પિટની કો-ઓનર રિતુ મલ્હોત્રાએ કહ્યું, "અમે મધ્ય, ઉત્તર અને પશ્ચિમ રેલવેના 42 સ્ટેશનો માટે ભારતીય રેલવેની સાથે એક કરાર કર્યો હતો. અમે અમુક સ્ટેશનો પર ઈઝીસ્પિટ વેન્ડિંગ મશીન લગાવવાનું શરૂ કરી દીધું છે."
રેલવેને આશા છે કે યોજનાની શરૂઆત બાદ લોકો થૂકવા માટે થેલીનો ઉપયોગ કરો અને સાર્વજનિક જગ્યાઓ પર ગંદકી ફેલાવવાથી પણ બચશે. આમ કરવાથી ન ફક્ત સ્ટેશનો અને ટ્રેનોમાં સફાઈ રહેશે પરંતુ રેલવેના કરોડો રૂપિયા પણ બચી જશે.