કોટાના એક વ્યક્તિએ રેલવેમાં 35 રૂપિયા રીફંડ લેવા માતે 5 વર્ષ સુધી સંઘર્સ કર્યું. પહેલા મળ્યા ૩૩ રૂપિયા તો ફરીથી ૨ રૂપિયા માટે કરી આરટીઆઈ, લાખો લોકોને મળ્યું રીફંડ
35 રૂપિયા માટે 5 વર્ષનો સંઘર્સ
રેલમંત્રીથી લઈને પ્રધાનમંત્રીને લખ્યો પત્ર
તેના સંઘર્સથી ત્રણ લાખ લોકોને થયો ફાયદો
5 વર્ષ કર્યો 35 રૂપિયા માટે સંઘર્સ
રેલવેમાંથી 35 રૂપિયાનું રિફંડ લેવા માટે કોટાના એક માણસે 5 વર્ષ સુધી સંઘર્સ કરવો પડ્યો. પરંતુ એમનો આ સંઘર્સ છેવટે રંગ લાવ્યો અને આના લીધે irctc ના અંદાજિત ત્રણ લાખ યુજર્સને પણ ફાયદો થયો. આ ઘટનામાં રેલવેએ 2.98 લાખ યુજર્સને 2.34 કરોડ રૂપિયા પાછા આપવાની મંજૂરી આપી છે. વ્યવસાયે એન્જિનિયર અને આરટીઆઈ કાર્યકર્તા સુજિત સ્વામીએ 35 રૂપિયાના રિફંડ લેવા માટે અંદાજિત 50 આરટીઆઈ કરી હતી અને સરકારી વિભાગના 4 ખાતામાં એક પછી એક ઘણા પત્રો લખ્યા હતા.
65 ના બદલે 100 રૂપિયા ટેક્સ કાપ્યો
સુજીતે એપ્રિલ 2017 માં સ્વર્ણ મંદિર મેલમાં કોટાથી નવી દિલ્હી માટે 765 રૂપિયાની ટિકિટ બુક કરેલ. ત્યારે આ ટિકિટ જુલાઇની મુસાફરી માટેની હતી. પરંતુ વેઈટીગ ટિકિટ હોવાના કારણે તેઓ મુસાફરી નહોતી કરી શક્યા. ટિકિટ કેન્સલ થવાને કારણે એને 665 રૂપિયા પરત મળ્યા હતા. પરંતુ સુજિતનું કહેવું હતું કે રેલવેએ સર્વિસ ટેક્સના રૂપમાં 65 રૂપિયા જ કાપવાના હતા પરંતુ કંપનીએ 100 રૂપિયા કાપ્યા હતા.
35 ના બદલે 33 રૂપિયા જ મળ્યા
સુજીતે જુલાઇ 2017 માં આ મામલે આરટીઆઈ લગાવીને સૂચન માંગી હતી. આ મામલે ચોંકાવનારી જાણકારી સામે આવી હતી. રેલવેએ અંદાજિત 2.38 લાખ લોકોને 35 રૂપિયા વધુ સેવાકરના લઈ લીધા હતા. સુજીતે આ મામલે રેલ મંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખીને આ બધા યાત્રીઓને રિફંડના પૈસા પરત કરવાની માંગ કરી હતી. મે 2019 માં આઇઆરસીટીસીએ સુજિતના ખાતામાં 33 રૂપિયા જમા કર્યા. સુજિતનું માનવું હતું કે આઇઆરસીટીસી એ ટેક્સના રૂપમાં 35 રૂપિયા વધુ કાપ્યા હતા. પરંતુ 35 ના બદલે 33 રૂપિયા જ પરત આપ્યા હતા. સુજીતે ફરીથી 2 રૂપિયા રિફંડ મેળવવા ફરીથી સંઘર્સ ચાલુ કર્યો. એણે ફરીથી જુલાઇ 2019 માં રિફંડ માગવા માટે આરટીઆઈ કરી અને રિફંડની જાણકારી લેવાની ચાલુ કરી
આભાર વ્યક્ત કરવા 535 પીએમ કેર ફંડમાં આપ્યા
છેલ્લે 27 મે એ સુજિતને આઇઆરસીટીસીના એક અધિકારીનો ફોન આવ્યો અને કહ્યું કે રેલવે બોર્ડે બધા જ યુજર્સ ના ખાતામાં રિફંડ મંજૂર કરી દીધું છે અને 30 મે એ સુજિતના ખાતામાં 2 રૂપિયા રિફંડ આવ્યું. આ પછી સુજીતે 5 વર્ષ ચાલેલ સંઘર્સ પૂરા થયાં બાદ આભાર વ્યક્ત કરવા માટે 535 રૂપિયા પીએમ કેર ફંડ માં ટ્રાન્સફર કરી દીધા.