કોરોના મહામારીએ દસ્તક આપતાં રેલ્વેમાં સીનિયર સિટીઝન્સને યાત્રા કરવા માટે સબસિડી પર ટિકીટ આપવાનું બંધ કરાયું હતું પરંતુ કોરોનાકાળ પૂરો થયા બાદ પણ આ સ્કિમને ફરી શરૂ કરવામાં આવી નથી. રેલમંત્રીએ આ વિષય પર કરી વાત.
રેલમંત્રીએ સીનિયર સિટીઝન ટિકીટ પર આપ્યો જવાબ
ટિકીટ પર સબસિડી આપવાનો કર્યો ઇનકાર
દરેક રેલયાત્રીને મળે છે ભાડાંમાં 53% રાહત
રેલમંત્રાલયએ એકવાર ફરી સીનિયર સિટીઝન્સને રેલ્વે યાત્રા માટે સબસિડી પર ટિકીટ આપવાની વાત પર ઇનકાર કર્યો છે. રેલ મંત્રાલયએ કહ્યું કે રેલ્વે મંત્રાલયમાં સફર કરનારાં તમામ નાગરિતોને તે સરેરાશ ભાડાં પર આશરે 53% જેટલી છૂટ આપે છે. આ સાથે જ દિવ્યાંગો, છાત્રો અને દર્દીઓનાં ભાડાં પર વધુ છૂટ મળે છે.
દરેક રેલયાત્રીને મળે છે ભાડાંમાં રાહત
લોકસભામાં રેલમંત્રીથી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રેલ્વે કન્સેશનનાં અભાવથી 63 લાખ સીનિયર સિટીઝને રેલ્વમાં યાત્રા કરવાનું બંધ કરી દીધેલ છે તો રેલ્વે સીનિયર સિટીઝનને ફરીથી રેલ્વે ભાડાં પર કન્સેશન આપવા માટે વર્તમાન સંસદની સમિતિ સહમત થશે? તેના જવાબમાં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 2019-20માં રેલ્વેનાં પેસેન્જરને રેલ્વેએ ટિકીટ ભાડાં પર 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. એટલે કે દરેક રેલયાત્રીને રેલ્વે ભાડાં પર સરેરાશ 53% જેટલી છૂટ આપવામાં આવી હતી. રેલમંત્રીએ માન્યું કે રેલ્વે સાથે જોડાયેલ સ્થાઇ સમિતિએ સ્લીપર અને થર્ડ ક્લાસમાં સીનિયર સિટીઝનને રેલ્વે ટિકીટ પર કન્સેશન આપવાનું સૂચન કર્યું છે.
સીનિયર સિટીઝન પોતાની સુવિધાથી કરે યાત્રા
રેલમંત્રીએ ગૃહને જણાવ્યું કે ભારતીય રેલ, ગરીબ રથ, રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, ગતિમાન, તેજસ, હમસફર સિવાય મેલ-એક્સપ્રેસ અને સામાન્ય પેસેન્જર ટ્રેન ચાલે છે. જેમાં ફર્સ્ટ એસી, સેકેન્ડ એસી, થર્ડ એસી, એસી ચેર કાર, સ્લીપર ક્લાસની સાથે રિઝર્વ અને અનરિઝર્વ કેટેગરીને સેકેન્ડ ક્લાસમાં પેસેન્જર માટે અલગ અલગ ભાડાઓનું સ્ટ્રક્ચર છે. સીનિયર સિટીઝન પોતાની સુવિધાથી યાત્રા કરી શકે છે.
હવાઇ યાત્રા પર સીનિયર સિટીઝનને છૂટ નથી
રેલમંત્રીને પૂછવામાં આવ્યું કે પ્રાઇવેટ એરલાઇન્સે સીનિયર સિટીઝનને હવાઇ ટિકીટોનાં ભાડાં પર રાહત આપી રહી છે. તો રેલમંત્રીએ કહ્યું કે DGCAની તરફથી સીનિયર સિટીઝનને એર ટ્રાવેલ કરવા પર કન્સેશન આપવાને લઇને કોઇ ગાઇડલાઇન કે સર્ક્યુલર લાગૂ પાડેલ નથી.