કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શતાબ્દી એક્સપ્રેસમાં સફર કરીને પ્રવાસીઓ પાસેથી ટ્રેનની સ્વચ્છતા અને ટાઈમિંગની જાણકારી મેળવી હતી.
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્રેનની મુસાફરી કરી
શતાબ્દી એક્સપ્રેસની સફર કરી
પ્રવાસીઓ પાસેથી સ્વચ્છતા અને ટ્રેન ટાઈમની જાણકારી માગી
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રવિવારે સવારે અજમેર જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસમાં બેસીને ટ્રેનમાં રહેલી સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. તેમણે તેમની મુલાકાત દરમિયાન મુસાફરોના અભિપ્રાય પણ જાણ્યાં હતા.
વૈષ્ણવે વીડિયો શેર કર્યો
વૈષ્ણવે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મંત્રી યાત્રીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને ટ્રેનના શૌચાલય અને કોચની સ્વચ્છતા અંગે તેમના ફીડબેક લઈ રહ્યા છે. તે ચાલતી ટ્રેનમાં એક અધિકારી સાથે ટ્રેનની કામગીરી અંગે ચર્ચા કરતા પણ જોવા મળ્યા હતા.
Railways Minister Ashwini Vaishnaw inspects New Delhi-Ajmer Shatabdi Express and takes feedback from passengers. pic.twitter.com/oLKGg33IUQ
ટ્રેનો પહેલા કરતા વધુ સ્વચ્છ
રેલવે પ્રધાને કહ્યું કે મુસાફરોએ ટ્રેન વિશે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો, તેમણે નોંધ્યું હતું કે ટ્રેનો પહેલા કરતા વધુ સ્વચ્છ છે અને મોટે ભાગે સમયસર આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ માર્ગમાં બે પહેલ કરવી પડશે. "પહેલા ટ્રેકમાં કેટલાક ફેરફારો કરીને આ માર્ગ પર ગતિ વધારવી. બીજું, પેન્ટોગ્રાફ ટ્રેનો (વંદે ભારત) ટૂંક સમયમાં ટ્રાયલ અને પરીક્ષણ પછી આ ટ્રેક પર દિલ્હી-જયપુર વચ્ચે દોડશે.
ટ્રેનોની સ્વચ્છતા પર રેલવે મંત્રીનું ખાસ ફોકસ
આ પહેલા વૈષ્ણવે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક મહિલા પોતાના પાલતુ કૂતરા સાથે ભારતીય રેલવે સાથે મુસાફરી કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો અને બાદમાં અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં તેણે રેલ્વે પ્રધાનનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.