રેલવે મુસાફરોએ વેટિંગ ટિકિટ કેન્સલ ન કરાવવાના કારણે રેલવેને કરોડો રુપિયાની કમાણી થઈ છે. દેશભરમાંથી 9.5 કરોડ પ્રવાસીઓએ પોતાની ટિકિટ કેન્સલ નહોતી કરાવી. જેના કારણે રેલવેને અધધ ફાયદો થયો છે. પ્રવાસીઓ દ્વારા ભારતીય રેલવેમાં ટિકિટ રદ કરવા અને વેટિંગ લિસ્ટવાળી ટિકિટોને કેન્સલ નહી કરાવવાને કારણે 2017થી 2020 દરમિયાન 9 હજાર કરોડ રુપિયાની કમાણી કરી છે.
કન્ફોર્મ ટિકિટોને રદ કરતા રેલવેને 4,684 કરોડથી વધારે કમાણી થઈ
ઓનલાઈન અને કાઉન્ટર ટિકિટ બુકિંગનાં આંકડામાં અંતર
એક સમાજિક કાર્યકરે કરેલી આરટીઆઈમાં ખુલાસો
3 વર્ષમાં આટલા લોકોએ ટિકીટ કેન્સલ નથી કરાવી
કોટાના સુજીત સ્વામીએ માહિતી અધિકાર કાયદા હેઠળ કેટલાક સવાલ પુછ્યા હતાં. જેના જવાબમાં સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ (CRIS)એ કહ્યું કે,‘1 જાન્યુઆરી 2017થી 31 જાન્યુઆરી 2020 સુધી ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન 9.5 કરોડ પ્રવાસીઓએ વેટિંગ લિસ્ટમાં રહેલી ટિકિટને કેન્સલ કરાવી નથી. જેનાથી રેલવેને 4,335 કરોડ રુપિયાની કમાણી થઈ છે.’
કન્ફોર્મ ટિકિટોને રદ કરતા રેલવેને 4,684 કરોડથી વધારે કમાણી થઈ
આ સમયમાં પ્રવાસીએએ રેલવેની કન્ફોર્મ ટિકિટોને રદ કરતા રેલવેને કિંમતથી 4,684 કરોડ રુપિયા કરતા વધારે કમાણી થઈ છે. આ બન્ને કિસ્સાઓમાં સૌથી વધારે કમાણી સ્લીપર કેટેગરીની ટિકિટોથી કેન્સલ કરાતા થઈ છે. એ બાદ ત્રીજી કેટેગરી થર્ડ એસી આવે છે.
ઓનલાઈન અને કાઉન્ટર ટિકિટ બુકિંગનાં આંકડામાં અંતર
CRISએ પોતાના જવાબમાં કહ્યું હતું કે, ‘ઈન્ટરનેટ અને કાઉન્ટરો પર જઈને ટિકિટ ખરીદનારા લોકોની સંખ્યામાં ઘણું અંતર છે. ત્રણ વર્ષના સમયમાં 145 કરોડથી વધારે લોકોએ ઓનલાઈન ટિકિટ જ્યારે 74 કરોડ લોકોએ રેલવે કાઉન્ટર પર જઈને ટિકિટ લીધી હતી.’
એક સમાજિક કાર્યકરે કોર્ટમાં પિટિશન કરી છે
સામાજિક કાર્યકર્તા સ્વામીએ રાજસ્થાનનાં ઉચ્ચ ન્યાયાલયમાં પિટિશન દાખલ કરી આક્ષેપ લગાવ્યો હતો કે, ‘ભારતીય રેલવેની આરક્ષણ નીતિ ભેદભાવ ભરેલી છે. તેમણે એમ પણ કહ્યું કે ઓનલાઈન અને કાઉન્ટર રિજર્વેશનને લઈને નીતિઓમાં ફેર હોવાના કારણે પ્રવાસીઓ પર કારણ વગરનો નાણા તથા માનસિક બોજો વધે છે. પિટિશનમાં આને રદ કરવા અને પ્રવાસીઓને રાહત આપવા માટે તેમજ અયોગ્ય રીતે આવક વધારવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવાનો આગ્રહ કર્યો છે.