કેડર મર્જરના સરકારના નિર્ણયને લઇને રેલવે યુનિયન એકત્રિત થયું છે. ખાનગીકારણના નિર્ણયના હળવા વિરોધ બાદ આ મુદ્દે હવે સરકારને બધા મોરચેથી ઘેરવાની અને સામાન્ય પ્રજાની પણ મદદ લેવાની તૈયારી હાથ ધરાઈ છે.
રેલવેનું સૌથી મોટું યુનિયન ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન આ મુદ્દે જણાવે છે કે છેલ્લા 165 વર્ષથી રેલવે દેશની જનતાની સેવા કરે છે પરંતુ અત્યારની સરકાર રેલવેના માળખાને એવી રીતે બદલી નાખવા માંગે છે કે જેના નુકશાનમાંથી બહાર આવવું લાંબા સમય માટે મુશ્કેલ કામ બની જશે.
વિદેશમાં રેલવે ખાનગીકરણથી નુકશાન જ થયું છે; યુનિયનનો દાવો
વિશ્વના જે દેશોએ રેલવેનું ખાનગીકરણ કર્યું તેમણે નાછૂટકે આ નિર્ણય બદલવો પડ્યો છે. બ્રિટનમાં 1989માં રેલવેનું ખાનગીકરણ થયા બાદ તેમણે હવે રેલવે ચલાવવા માટે 5 થી 6 ગણો વધુ ખર્ચ કરવો પડે છે. વધતી દુર્ઘટનાઓના પગલે આર્જેન્ટિનાએ ફરીથી 2015માં રેલવેનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. ન્યુ ઝીલેન્ડ સાથે પણ આમ જ બન્યું છે. ઓસ્ટ્રેલિયામાં ગિવ અવર ટ્રેક બેક આંદોલન બાદ સરકારે ફરીથી રેલવેને પોતાને હસ્તક લેવું પડ્યું.
લાંબા સમયથી ભાડા ન વધારતા કરોડોની ખોટ જાય છે
બીજા પ્રમુખ યુનિયન નેશનલ ફેડરેશન ઓડ ઇન્ડિયન રેલવેમેને પણ સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે લાંબા સમયથી ભાડાઓ ન વધારવાના કારણે રેલવેને વર્ષે 35 હાજર કરોડની ખોટ જાય છે જેથી આખરે મુસાફરોને ઓછી સેવાઓ મળે છે. બંને યુનિયને સરકારે બોલાવેલી સંયુક્ત બેઠકનો બહિષ્કાર કર્યો હતો.
સરકારના કર્મચારીઓ ઘટાડવાના નિર્ણય સામે હોબાળો
તેમના મતે રેલવેનું ખાનગીકરણ કરવાથી મુસાફરને મળતી સેવાઓ કે સ્ટેશનની હાલતમાં કોઈ સીધો સુધાર થઇ શકવાનો નથી. આમ છતાં સરકાર ખાનગીકરણ કરવા તત્પર છે. આ ઉપરાંત સરકારના 30 થી 50% કર્મચારીઓને ઘટાડવાની અને યુનિયન નેતાઓને પદહી હટાવવાની અથવા નિવૃત કરવાની જે યોજના ચાલી વિચારાઈ રહી છે તેનો બંને યુનિયન સખ્ત વિરોધ કરે છે.