હવે તમને રેલવેના એસી કોચમાં ફેસ ટોવેલ મળશે નહીં. રેલવે હવે ટોવેલની જગ્યાએ રસ્તામાં ફેંકી દેવા. એવા નેપિકન આપશે. હાલ એસી કોચમાં 52X40 સેન્ટીમીટરના ટોવેલ આપવામાં આવે છે. એના બદલે હવે નાના નેપકિન આપવામાં આવશે. એના ઉપયોગ બાદ ફેંકી શકાશે. નવા નેપકિન પર્યાવરણને નુકસાન પહોંચાડશે નહીં અને આ કોટનના બનેલા હોવાને કારણે વધારે પાણી શોષી શકશે. લાંબી યાત્રા કરનારને જરૂરીયાત પડવા પર આ પ્રકારના બે નેપકિન આપવામાં આવશે.
એક માહિતી અનુસાર માત્ર મુંબઇ ડિવિઝનમાં દર મહિને એક ટ્રેનમાં 70 ટોવેલ ખોવાઇ જાય છે. હાલમાં જે ટોવેલ આપવામાં આવે છે એની પ્રતિ ટોવેલ કિંમત 3.53 રૂપિયા છે. ચોરી થવા પર એ ટોવેલની કિંમત અટેન્ટેન્ટથી વસૂલ કરવામાં આવે છે. એના કારણે અટેન્ડેન્ટની સેલેરી મહિનાની આશરે 500 રૂપિયા કપાઇ જાય છે. વર્ષ 2016 2017માં મુંબઇ સેન્ટ્રલ બાન્દ્રા અને સુરત વાળા રુટ પર 56 ટ્રેનથી આશરે 71.52 લાખ રૂપિયાના બેડ લિનેન અને ટોવેલ ચોરી થઇ ગયા. એમાં આશરે 81 190 ફેસ ટોવેલ હતા.
રેલવેના બીજા ડિવિઝને આ પ્રકારની ચોરીથી થતા નુકસાનની જાણકારી આપી નથી. જો રેલવેના 16 ડિવિઝનને લેવામાં આે તો આ નુકસાન કરોડો રૂપિયામાં હોઇ શકે છે. એટલે રેલવે આ નુકસાનથી બચવા માટે આ પગલું ભરી રહી છે. એના માટે આદેશ પણ જારી કરી દેવામાં આવ્યા છે.
તાજેતરમાં જ રેલવેએ એસી કોચમાં આપવામાં આવતા ઓઢવાનામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઓઢવાનાને મહિનામાં બે વખત ધોવામાં આવશે.