નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રેલવેના યાત્રાળુ ભાડાની આવકમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જોકે, નૂર ચાર્જથી થતી આવકમાં સુધારો થયો છે. આ ખુલાસો આરટીઆઇ (RTI) દ્વારા થયો છે. રેલવેની યાત્રાળુ ટ્રેનથી થવા વાળી આવક બીજા ત્રિમાસિક ગાળાની તુલનામાં 400 કરોડ ઘટી ગઇ છે.
ત્રીજા ત્રિમાસિક ગાળામાં રેલવેના યાત્રાળુ ભાડાની આવકમાં ઘટાડો નોંધવામાં આવ્યો
ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં રેલવેને નૂર ચાર્જથી 3901 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું
મધ્ય પ્રદેશના આરટીઆઇ એક્ટિવિસ્ટે એક આરટીઆઇ (RTI) દાખલ કરી હતી
ભારતીય રેલવેના યાત્રાળુ ભાડાની આવકમાં ઘટાડો નોંધાયો છે. રેલવેની યાત્રાળુ ટ્રેનથી થતી આવક બીજા ત્રિમાસિક ગાળાની તુલનામાં 400 કરોડ ઘટી ગઇ છે. જ્યારે નૂર ચાર્જથી થવા વાળી આવકમાં 2800 કરોડનો વધારો થયો છે.
ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં રેલવેને નૂર ચાર્જથી 3901 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. એવામાં આ વધારો રેલવે માટે ઉત્સાહજનક છે. રેલવેએ નૂર ચાર્જથી થતી આવકમાં સુધારા માટે ઘણો પ્રયાસ કર્યો હતો.
આરટીઆઇ અરજી દાખલ કરાઇ હતી
ન્યૂઝ એજન્સી પીટીઆઇ મુજબ, મધ્ય પ્રદેશના આરટીઆઇ એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌરે એક આરટીઆઇ (RTI) દાખલ કરી હતી. તેમા ખુલાસો થયો હતો કે નાણાકીય વર્ષ 2019-20ની પહેલા ત્રિમાસિક (એપ્રિલ-જૂન) માં રેલવેને 13,398.92 કરોડની આવક થઇ હતી. જ્યારે તે જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ઘટીને 13,243.81 કરોડ થઇ ગઇ હતી. જ્યારે ત્રીજા ત્રિમાસિક ગાળામાં (ઓક્ટોબર-ડિસેમ્બર) તે ઘડીને 12,844.37 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ.
બીજી તરફ નૂર ચાર્જથી થતી આવકમાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં જોરદાર રિકવરી થઇ છે. પહેલા ત્રિમાસિક ગાળામાં રેલવેને તેનાથી કુલ 29,066.92 કરોડની આવક થઇ હતી. જ્યારે બીજા ત્રિમાસિકમાં તે ઘટીને 25,165.13 કરોડ થઇ ગઇ. તથા ત્રીજા ત્રિમાસિક ગાળામાં વધીને 28,032.80 કરોડ સુધી પહોંચી ગઇ.