ડીઝલ એન્જીનથી ચાલતી ટ્રેનમાં લાંબી મુસાફરી કરનારા મુસાફરોને હવે વધારે ભાડૂ ચુકવવું પડશે.
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ડામ
રેલ મુસાફરોના ખિસ્સા થશે ઢીલા
રેલ્વેના ભાડામાં થશે 50 રૂપિયા સુધીનો વધારો
ડીઝલ એન્જીનથી ચાલતી ટ્રેનમાં લાંબી મુસાફરી કરનારા મુસાફરોને હવે વધારે ભાડૂ ચુકવવું પડશે. આ વધારો 15 એપ્રિલથી ટિકિટ બુકીંગ સમયે રેલ મુસાફરી સાથે જોડવામા આવશે. હકીકતમાં રેલ્વે બોર્ડે ડીઝલ એન્જીનોથી ચાલતી ટ્રેનોમાં મુસાફરી કરનારા મુસાફરો પર 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી હાઈડ્રોકાર્બન સરચાર્જ અથવા ડીઝલ ટેક્સ લગાવાની યોજના બનાવી રહ્યું છે. આ સરચાર્જ એ ટ્રેનો પર લાગૂ થશે, જે ડીઝલથી ચાલે છે. આ ઈંધણની આયતને ઘટાડવા માટે થઈને કરવામાં આવી રહ્યું છે. જે ઓયલના વધતાં ભાવથી ગંભીર રીતે પ્રભાવિત થયું છે.
50 રૂપિયા સુધીનો ભાડામાં આવશે વધારો
AC ક્લાસ માટે 50 રૂપિયા, સ્લીપર ક્લાસ માટે 25 રૂપિયા અને જનરલ ક્લાસ માટે ઓછામાં ઓછા 10 રૂપિયાનો ત્રણ કેટેગરી અંતર્ગત લેવામાં આવશે. ઉપનગરીય રેલ યાત્રાી ટિકિટ પર આવા કોઈ વધારાનો ચાર્જ લગાવામાં નહીં આવે. રેલ્વે બોર્ડે તમામ ઝોનને આવી ટ્રેનોની યાદી બનાવાનો આદેશ આપ્યો છે. જે નિર્ધારિત અંતરમાં 50 ટકા ડીઝલથી ચાલે છે .આ યાદીને દર ત્રણ મહિને સંશોધિત કરવામાં આવશે. જો કે, 15 એપ્રિલથી પહેલા બુક કરવામાં આવેલા ટિકિટો પર કોઈ સરચાર્જ લાગશે કે કેમ તેના વિશે સ્પષ્ટ કરવામાં આવી નથી.
ડીઝલના વધતાં ભાવોને લઈને લેવાયો નિર્ણય
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગની સાથે સાથે સઉદી અરબ અને યમનની વચ્ચે સંઘર્ષના કારમે વૈશ્વિક તેલના ભાવમાં રેકોર્ડ સ્તરે જોવા મળી રહ્યા છે. ભારત દ્વારા રશિયા પાસેથી વ્યાજબી ભાવે ક્રૂડ ઓયલ ખરીદ્યા બાદ, પુરવઠાની કમી છે. દેશમાં ઈંધણની કિંમતમાં સતત 12 દિવસથી વધારો વેઠી રહેલી જનતાને વધું એક માર પડશે.