આગામી વર્ષે યોજાનાર મહાકુંભનાં સમયગાળા દરમ્યાન પ્રયાગરાજ જનારા યાત્રિઓની ભીડને ઓછી કરવા માટે રેલ્વેએ અનારક્ષિત ટિકીટોની ખરીદી 15 દિવસ પહેલા જ કરાવી લેવાની અનુમતિ આપવા અંગે નિર્ણય લીધો છે કે જે હજી સુધી ત્રણ દિવસ પહેલા જ કરી શકાય તેમ હતી.
આ સુવિધા પ્રયાગરાજમાં માત્ર 12 સ્ટેશનો પર યાત્રા કરવા માટે ઉપલબ્ધ છે. એક પરિપત્રમાં રેલ્વેએ કહ્યું કે સમારોહ દરમ્યાન ખૂબ વધારે ભીડ રહેવાની આશા છે અને મેલા સ્ટેશનોથી કંઇક દબાવ ઓછો કરવા માટે કાર્યક્રમ દરમ્યાન 'પરત' ટિકીટોની ખરીદીની સમયમર્યાદાને વધારવાનો નિર્ણય લીધો.
આમાં જણાવવામાં આવ્યું છે કે "મહાકુંભ મેળાનાં આયોજનવાળા પ્રયાગરાજ ક્ષેત્રમાં 12 સ્ટેશનોમાંથી કોઇ પણ જગ્યાએ યાત્રાને માટે ભારતીય રેલ્વેનાં કોઇ સ્ટેશનથી યૂટીએસ એપને આધારે જો એક યાત્રી અનારક્ષિત ટિકીટ ખરીદે છે તો યાત્રાની તારીખ છોડીને રિટર્ન ટિકીટ ખરીદી શકે છે. જો કે આવી રિટર્ન ટિકીટોને પરત નહીં કરવામાં આવે.
12 સ્ટેશનો કે જ્યાં આ સુવિધા ઉપલબ્ધ છે તેમાંનાં ઇલાહાબાદ જંક્શન ઇલાહાબાદ સિટી નૈની સુબદેરગંજ રામબાગ પ્રયાગ ઘાટ દારાગંજ ફાફામઉ ઝૂસી વિંધ્યાચલ છેઓકી અને વાપસી શામેલ છે.