રેલવે કોરોના મહામારી સામે સાવચેતીનાં પગલાંના ભાગ રૂપે અનેક પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે હવે રેલવેએ સ્ટેશનના એન્ટ્રી પર યાત્રીઓ માટે લગેજ સેનિટાઈઝર મશીન લગાવી છે. જેથી યાત્રીઓના સામાનને પણ સેનિટાઈઝ કરવામાં આવશે. રેલવેની આ પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.
યાત્રીઓની સલામતી માટે રેલવે સતત પગલાં ભરી રહ્યું છે
હવે રેલવેએ યાત્રીઓ માટે લગેજ સેનિટાઈઝર મશીન લગાવી છે
રેલવેની આ પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે
રેલવેએ ટ્વીટ કરીને આ નવી ટેકનોલોજીનો વીડિયો બહાર પાડ્યો છે. આ ટ્વિટની સાથે રેલવેએ આ મેસેજ લખ્યો છે. કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે રેલવેએ રતલામ સ્ટેશન પર યાત્રીઓના સામાનને સેનિટાઈઝ કરવામાં આવે છે, જેથી સંક્રમણ ફેલાતા રોકી શકાય. રેલવેની આ પહેલ યાત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.
कोरोना संक्रमण के प्रसार को रोकने के लिए पश्चिम रेलवे के रतलाम स्टेशन पर यात्रियों के सामान को सैनिटाइज करने हेतु स्टेशन के प्रवेश द्वार पर लगेज सैनिटाइजर मशीन लगाई गई है जिससे निरंतर यात्रियों के सामान को सैनिटाइज किया जा रहा है।
— Ministry of Railways (@RailMinIndia) June 10, 2020
કેટલાક સ્ટેશન પર સ્વચાલિત ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર ડિસ્પેન્સર મશીન ઇન્સ્ટોલ કરેલું છે. આ સાથે રેલવે મુસાફરો અને કર્મચારીઓને ચહેરા પર ફેસ માસ્ક લગાવવા અને સમય-સમય પર હાથને સેનિટાઈઝ કરવાના નિર્દેશ આપ્યા છે. ભારતીય રેલવે મુસાફરી દરમિયાન મુસાફરોને સલામતીના નિયમોનો સખત અમલ કરાવી રહી છે. આવી સ્થિતિમાં, જો તમને ટ્રેનમાં મુસાફરી કરવાની ઉતાવળ હોય અથવા કોઈ અન્ય કારણોસર ફેસ માસ્ક અને સેનિટાઈઝર ભૂલી જાઓ તો તેમના માટે એક સ્વચાલિત ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર ડિસ્પેન્સર મશીન મૂકવામાં આવ્યું છે.