કેન્દ્ર સરકારે રેલવેનું ખાનગીકરણ ગુજરાતથી શરૂ કર્યું છે. મુબઈ- અમદાવાદ વચ્ચે પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસની શરૂઆત થઈ ગઈ છે. હવે અમદાવાદની જનતાને વધુ એક ભેટ મળી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેજસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી તેજસ ટ્રેનને લીલીઝંડ મળતા આ ટ્રેનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે જો કે સામાન્ય જનતા માટે આ ટ્રેનને 19 જાન્યુઆરીથી ટ્રેન રાબેતા મુજબ દોડાવાશે.
અમદાવાદ-મુંબઈ વચ્ચે આજથી દોડશે તેજસ એકસપ્રેસ
મુખ્યમંત્રી રૂપાણી ટ્રેનને લીલીઝંડી આપી છે
160 કિમી પ્રતિકલાકની ઝડપે દોડશે તેજસ ટ્રેન
તેજસ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. અમદાવાદથી સવારે 6.40 વાગે ટ્રેન ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર 1.10 વાગે પહોંચશે. અને મુંબઈથી 3.40 વાગે ટ્રેન પરત અમદાવાદ આવવા નીકળશે. જે રાત્રે 9.55 વાગે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચશે.
શું છે સુવિધાઓ
તેજસ ટ્રેનની સુવિધાઓ પર નજર કરીએ તો તેજસમાં ફ્લાઈટ જેવી સુવિધા આપવામાં આવશે. તેજસ ટ્રેન CCTV ફૂટેજથી સજ્જ હશે. ટ્રેનમાં વાઈ ફાઈ સુવિધા ચ્હા, કોફી, નાસ્તો સુધીની સુવિધા આપવામાં આવશે. એટલું જ નહીં ટ્રેનના દરવાજા પણ ઓટોમેટીક છે. તેજસ ટ્રેન 160 કિમીની સ્પીડે દોડશે.
19 જાન્યુઆરીથી જાહેર જનતા લઈ શકશે લાભ
160 કિમી પ્રતિકલાકની ઝડપે તેજસ ટ્રેન દોડશે. સામાન્ય જનતા 19 જાન્યુઆરીથી તેજસ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. ટ્રેન માત્ર બે જ સ્ટેશન વડોદરા અને સુરત ઉભી રહેશે. તેજસ એકસપ્રેસ દિલ્હી-લખનઉ બાદ હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. ટ્રેનના યાત્રિકોને 25 લાખનો વીમો મળશે.
રેલ મંત્રીએ લીધી કેવડીયની મુલાકાત
નર્મદામાં કેવડીયા ખાતે કેન્દ્રીય રેલવેમંત્રી નિરિક્ષણ કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગોયલનું નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યુ હતું કે કેવડિયાથી દેશની તમામ ટ્રેનને જોડાશે. તેમજ શટલ સર્વિસ પણ ચાલુ કરવામાં આવશે. અને ફાસ્ટ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવે છે. આ સાથે તેમણે જમીન માલીકોને વિનંતી કરી હતી કે સારા કામ માટે સહકાર આપે. પોતાની જમીન આપી રેલવે લાઇન જોડવામાં મદદરુપ બને. ત્યારબાદ તેમણે રેલવેના ખાનગીકરણ પર પૂછવામાં આવતા તેમએ જવાબ આપવાનું ટાળ્યું હતું.