ભારતીય રેલ્વેએ લોકડાઉનમાં ચલાવવામાં આવી રહેલી સ્પેશ્યિલ ટ્રેનને માટે નવા નિયમ જાહેર કર્યા છે. સ્પેશ્યિલ ટ્રેનથી મુસાફરી કરનારા યાત્રીઓની સંપૂર્ણ જાણકારી આપવાની રહેશે. આ માટે ટ્રેનમાં TTE દરેક યાત્રીની ડિટેલ લખશે. આ માટે રેલ્વેએ એક શીટ જાહેર કરી છે. તમારે આ તમામ વિગતો TTEને આપવાની રહેશે.
ભારતીય રેલ્વેએ સ્પેશ્યિલ ટ્રેન માટે કર્યા નવા નિયમ જાહેર
TTEને આપવાની રહેશે દરેક સંબંધિત જાણકારી
આ માહિતી આપવી છે જરૂરી
ભારતીય રેલ્વેએ જે નિયમો જાહેર કર્યા છે તેમાં યાત્રીઓએ શીટમાં યાત્રીઓનું નામ, ટ્રેનનું નામ, કોચ નંબર, યાત્રાની તારીખ, પીએનઆર નંબર, બર્થ નંબર, નામ, ડેસ્ટિનેશન એડ્રેસ, મોબાઈલ નંબરની સાથે સાથે TTEનું નામ અને તેમની સહી પણ રહેશે.
ટિકિટ બુક કરતી સમયે આપવાની રહેશે આ જાણકારી
રેલ્વેએ ટ્રેન યાત્રીઓને ટિકિટ બુકિંગના સમયે ખાસ જાણકારી માંગી છે. યાત્રી જે જગ્યાએ પહોંચવા માટે મુસાફરી કરી રહ્યા છે તે જાણકારી @RailMinIndiaને આપવાની રહેશે. આ પગલું કોન્ટેક્ટ ટ્રેસિંગને માટે મહત્વનું રહેશે. નવા નિયમો 13 મેથી લાગૂ પાડવામાં આવશે. આ માટે IRCTCએ 13 મેથી ઓનલાઈન ટિકિટ બુકિંગ ફોર્મમાં યાત્રીઓના ડેસ્ટિનેશન એડ્રેસની જાણકારી આપવાની રહેશે.
30 જૂન સુધી રેલ્વેએ કેન્સલ કર્યું દરેક બુકિંગ
ભારતીય રેલ્વેએ ગઈકાલે જાહેરાત કરી હતી કે 22 મેથી શ્રમિક અને રાજધાની સ્પેશિયલ ટ્રેનની માફક જ હવે મેલ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન પણ ચલાવવામાં આવશે. આ ટ્રેન માટેના બુકંગ 15મેથી શરૂ થવાનું હતું. આ નિયમને પડકારતા હાલમાં રેલ્વેએ નવી જાહેરાત કરી છે. જેમાં કહેવાયું છે કે 30 જૂન સુધી નિયમિત પ્રવાસી ટ્રેનોનું બુકિંગ રદ્દ કરાયું છે. ફક્ત શ્રમિક ટ્રેનોને જ ચલાવવામાં આવશે. જે લોકોના બુકિંગ થયા છે તેમને ભારતીય રેલ્વે રિફંડ આપશે.