બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / railway employees good news new policy grade 6 employees direct promotion salary increase

મહત્વનો નિર્ણય / રેલવે કર્મચારીઓ માટે ખુશખબર: ગ્રેડ-6ના કર્મીઓને મળશે ડાયરેક્ટ પ્રમોશન, સેલરીમાં પણ થશે વધારો

MayurN

Last Updated: 08:59 AM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સુપરવાઇઝરી કેડરના કર્મચારીઓને સીધી પ્રમોશન મળશે. આ પોલિસી હેઠળ રેલવે ગ્રેડ-6ના કર્મચારીઓને ડાયરેક્ટ પ્રમોશન મળી શકશે.

  • રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર
  • ગ્રેડ-6ના કર્મીઓને મળશે ડાયરેક્ટ પ્રમોશન
  • કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે રેલવે કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કહ્યું કે સુપરવાઇઝરી કેડરના કર્મચારીઓને સીધી પ્રમોશન મળશે. આ પોલિસી હેઠળ રેલવે ગ્રેડ-6ના કર્મચારીઓને ડાયરેક્ટ પ્રમોશન મળી શકશે.

રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે લેવલ-7માં સુપરવાઇઝરી કેડરના પગાર ધોરણમાં સ્થિરતા છે અને તેમના પ્રમોશન માટે બહુ ઓછો અવકાશ છે. તેઓએ કહ્યું કે અમારી પાસે 80,000 નિરીક્ષકો છે. જેઓ છેલ્લા 16 વર્ષથી એટલે કે 2006થી સુપરવાઈઝર કેડરના પગાર ધોરણમાં વધારાની માંગ કરી રહ્યા હતા. બઢતી મેળવવાનો એકમાત્ર રસ્તો ગ્રુપ 'બી' પરીક્ષા દ્વારા પસંદગી પામવાનો હતો. જેમાં 3,712 જગ્યાઓ ખાલી હતી.

40,000 સુપરવાઈઝરોને લાભ મળશે
રેલ્વે મંત્રીએ જાહેરાત કરી છે કે નવી નીતિ હેઠળ લેવલ 7 થી લેવલ 8 માં 50 ટકા કર્મચારીઓને પ્રમોશન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, 4 વર્ષમાં લેવલ-8 થી લેવલ-9 સુધી નોન-ફંક્શનલ ગ્રેડમાં 50 લોકોને બઢતી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આનાથી 40,000 સુપરવાઈઝરને સીધો ફાયદો થશે અને બધાને દર મહિને સરેરાશ 2,500-4,000 રૂપિયાનો વધારાનો પગાર મળશે.

કેન્દ્ર સરકારે નવી નીતિને મંજૂરી આપી
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલ્વેએ એવા કર્મચારીઓની ઓળખ કરવાનું પણ શરૂ કરી દીધું છે કે જેઓ પ્રમોશન માટે લાયક છે. મંત્રીએ કહ્યું કે સિવિલ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એસએન્ડટી ટ્રાફિક, કેમિકલ અને મેટલર્જિકલ, સ્ટોર્સ અને કોમર્શિયલ વિભાગના સુપરવાઇઝરને આ નીતિથી ફાયદો થશે. નોંધપાત્ર વાત એ છે કે રેલ્વેમાં પ્રમોશનની નવી નીતિને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ