દેશમાં કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને દેશમાં લોકડાઉન 4.0 જાહેર કરવામાં આવ્યું છે. જો કે સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે નિયમોમાં છૂટછાટ આપતા રેલ સહિત અનેક સેવાઓ શરૂ કરી છે. રેલવે દ્વારા 12 મેથી ચલાવામાં આવી રહેલી રાજધાની રૂટ પર ચાલી રહેલી 15 જોડી વિશેષ ટ્રેનોના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યાં છે. નવા નિયમોનુસાર હવે એવા યાત્રીઓ પણ મુસાફરી કરી શકશે જેઓનું RAC માં બુકિંગ થયું હશે.
15 સ્પે ટ્રેનોમા રેલવે વિભાગે કર્યા ફેરફાર
હવે થી RAC ટિકિટી પણ બુકિંગ થઇ શકશે
15 સ્પે ટ્રેન 12 મે થી શરૂ કરવામા આવી હતી
રેલવેના નવા નિયમ અનુસાર હવે ટ્રેનમાં 30 દિવસ પહેલા ટિકિટ બુકિંગ ઓનલાઇન સહિત સ્ટેશનો પર રિઝર્વેશન કાઉન્ટર પરથી પણ કરાવી શકાશે. આ અગાઉ 7 દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. 12 મેથી ચાલી રહેલી આ બધી ટ્રેનોમાં માત્ર AC કોચ છે.
જ્યારે હવે 2 કલાક પહેલા કરંટ બુકિંગ કરાવાનો વિકલ્પ પણ આ ટ્રેનોમાં પણ જોવા મળશે. જો કે હાલમાં આ નિયમ 24 મેથી લાગુ થશે અને 31 મે સુધી ચાલનારી ટ્રેનો પર જ લાગુ થશે. જો કે આ ટ્રેનોમાં તત્કાલ બુકિંગની સુવિધા નહીં મળે.
આમ હવે સ્પેશિયલ ટ્રેન બુકિંગને લઇ રેલવે વિભાગે ફેરફાર કર્યા છે. જેમાં હવેથી RAC ટિકિટ બુકિંગ થઇ શકશે. આ સાથે 30 દિવસ પહેલા ઓનલાઇન બુકિંગ સહિત સ્ટેશન પર રિઝર્વેશન કાઉન્ટર પરથી પણ ટિકિટ બુકિંગ કરાવી શકાશે. આ અગાઉ 7 દિવસનો સમય નક્કી કરાયો હતો. આમાં 12 મેથી ચાલી રહેલી આ તમામ સ્પેશિયલ ટ્રેનોમાં માત્ર એસી કોચ જ છે.