દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આજે મોદી સરકાર 2.0ની અગ્નિ પરીક્ષાનો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે જીએસટીને લઇને અરૂણ જેટલીજીને યાદ કર્યાં હતા. આ સાથે જણાવ્યું હતું કે, અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી કરાશે. ત્યારે બજેટમાં રેલવે ક્ષેત્રે 10 મહત્વની જાહેરાત કરી છે.
જલ્દી દોડશે બુલેટ ટ્રેન, દેશમાં નવા 100 એરપોર્ટ બનશે
બજેટમાં રેલવે ક્ષેત્રને લઇને મહત્વની જાહેરાત
રેલ્વેની ખાલી જમીનો પર સોલાર પ્લાન્ટ લગાવાશે
દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહન કરવા માટે સરકાર મોટુ રોકાણ કરશે. જેના હેઠળ મોર્ડન રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન, લોજીસ્ટીક સેન્ટર્સ બનાવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓને પોતાના સ્ટાર્ટઅપમાં યુવાઓને જોડવાની અપીલ કરવામાં આવશે. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે, ચેન્નાઇ-બેંગલુરુ એક્સપ્રેસ-વેને જલ્દી પુર્ણ કરવામાં આવશે. 6000 કિમી વાળા હાઇવે ને મુદ્રીકરણ કરવામાં આવશે. દેશમાં 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનાવામાં આવશે. ત્યારે રેલવે ક્ષેત્ર મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં 27000 કિમીના ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે. તેજસ ટ્રેનની સંખ્યા પણ વધારાવામાં આવશે. મુંબઇ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના કામમાં ઝડપ લાવવામાં આવશે.
બજેટમાં રેલવે ક્ષેત્રે 10 મહત્વની જાહેરાત
1. 550 રેલવે સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા
2. 27 હજાર કિલોમીટરના ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન કરાશે
3. રેલ્વેની ખાલી જમીનો પર સોલાર પ્લાન્ટ લગાવાશે
4. 150 ટ્રેન PPP મોડમાં ચલાવવાનો નિર્ણય
5. PPP મોડેલથી 4 સ્ટેશનોનો વિકાસ કરાશે
6. મોટા શહેરોને જોડવા માટે તેજસ જેવી ટ્રેનોની સંખ્યા વધશે
7. તેજસ ટ્રેનોની સંખ્યામાં વધારી પર્યટન સ્થળોને જોડવામાં આવશે
8. 18,600 કરોડના ખર્ચે 148 KM બેંગલૂરૂ ઉપનગર ટ્રેન સિસ્ટમ બનશે
9. મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરાશે
10. માનવરહિત ફાટકને દૂર કરાશે