કોરોના કાળમાં 39 નવી ટ્રેનો ચલાવવામાં આવશે. રેલવે બોર્ડે અલગ અલગ જોન્સે આ ટ્રેનોને ચલાવવાની મંજૂરી આપી દીધી છે. રેલવે મંત્રાલયે આ નિવેદનમાં જણાવ્યું કે આ ટ્રેનોના રૂપમાં ચલાવવામાં આવશે.
મુસાફરોને લઇને સારા સમાચાર
રેલવે ટુંક સમયમાં શરૂ કરશે 39 નવી ટ્રેનો
રેલવે બોર્ડે 39 ટ્રેનો ચલાવવા માટે આપી મંજૂરી
રેલવે બોર્ડ દ્વારા 11 ઝોનમાં 39 ટ્રેન ચલાવવાને મંજૂરી આપી છે. રેલવેએ જે ટ્રેનોને મંજૂરી આપી છે તેમાં 15 ટ્રેનો અઠવાડિયામાં એક વખત, 6 ટ્રેનો અઠવાડિયામાં 2 વખત, 4 ટ્રેનો અઠવાડિયામાં 3 વખત ચાલશે. 7 ટ્રેનો એવી છે જે દરરોજ ચાલશે. 5 ટ્રેન દિલ્હીથી ચાલશે.
જો આ ટ્રેનોના પ્રકારની વાત કરીએ તો 18 એક્સપ્રેસ AC ટ્રેન, 4 AC દુરંતો, 3 રાજધાની, 1 યુવા એક્સપ્રેસ, 8 શતાબ્દી, 1 વંદે ભારત એક્સપ્રેસ અને 4 ડબલ ડેકર ટ્રેન હશે. જોકે એ નથી જણાવ્યું કે, આ ટ્રેનો ક્યારે ચાલશે. રેલવેનું કહેવું છે કે, જલ્દીધી જલ્દી સુવિધાજનક તારીખથી શરૂ કરવામાં આવશે. આ ટ્રેનોની યાદી આ પ્રમાણે છે.