ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ કોરોનાથી ઊભી થયેલી પરિસ્થિતિમાં પેસેન્જર ટ્રેન શરુ કરવા પક્ષમાં નથી. મંત્રીઓનું માનવું છે કે આ દરમિયાન રેલ ગાડીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવાની કોઈ શક્યતા નથી. સૂત્રોના જણાવ્યાનુંસાર એર ઈન્ડિયા અને પ્રાઈવેટ એરલાઈન્સને 3 મેના લોકડાઉન પુરુ થયા પછી પણ બુકિંગ ન કરવા કહેવામાં આવ્યુ છે.
GoMએ PMOને રિપોર્ટ સોંપ્યો
GoMએનું માનવુ છે કે ટ્રેન- પ્લેન શરુ થશે તો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જળવાય
અંતે સ્વાસ્થ્ય મંત્રાલય અને પીએમ નિર્ણય લેશે
શનિવારે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ(GoM)ની બેઠક થઈ હતી. બેઠકમાંથી મળેલી માહિતી મુજબ લોકડાઉનના બીજા ફેઝમાં 3 મેના રોજ ખતમ થયા પછી પણ રેલવે અને વિમાન સેવા શરુ નહીં થાય.
શનિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં કોવિડ-19 માટે બનેલી GoMની 5મી બેઠક મળી હતી. આ બેઠકમાં આ વિષયો પર રિપોર્ટ તૈયાર કરી પીએમ મોદીને મોકલવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર રેલવે અને વિમાન સેવા 3 મે પછી શરુ નહી થાય. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં કહેવામાં આવ્યું છે કે આ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ અને પીએમ દ્વારા પરિસ્થિતિના રિવ્યુ બાદ અંતિમ નિર્ણય લેવાશે.
રિપોર્ટમાં જણાવ્યાનું સાર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ કોરોનાથી ઊભી થયેલી પરિસ્થિતિમાં પેસેન્જર ટ્રેન શરુ કરવા પક્ષમાં નથી. મંત્રીઓનું માનવું છે કે આ દરમિયાન રેલ ગાડીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવાની કોઈ શક્યતા નથી. સૂત્રોના જણાવ્યાનુંસાર એર ઈન્ડિયા અને પ્રાઈવેટ એરલાઈન્સને 3 મેના લોકડાઉન પુરુ થયા પછી પણ બુકિંગ ન કરવા કહેવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું હતું કે હજુ ખાનગી વિમાન કંપનીઓ વિમાન યાત્રાની ટિકિટ ન વેચે. 4 મેથી વિમાન કંપનીઓ દ્વારા ફ્લાઈટ ટિકીટ બુકિંગ શરુ કરી દેવાયું હતું.