રાત્રે મુસાફરી કરતા યાત્રીની તકલીફોને ધ્યાનમાં રાખીને રેલવેએ અમુક નિયમોમાં ફેરફાર કર્યા છે, જાણો આ નિયમો
રાત્રે સફર કરવા માટે રેલવેનાં નિયમોમાં ફેરફાર
નિયમોનાં ઉલ્લંઘન પર થઇ શકે છે દંડ
યાત્રીઓની ઊંઘ ન થવી જોઈએ ડિસ્ટર્બ
રાત્રે સફર કરવા માટે રેલવેનાં નિયમોમાં ફેરફાર
જો તમે પણ મોટેભાગે ટ્રેન દ્વારા જ યાત્રા કરો છો, તો સમાચાર તમારા માટે જ છે. રેલવેએ રાત્રે યાત્રા કરનારની તકલીફ ધ્યાનમાં રાખતા અમુક નિયમોમાં ફેરફાર કર્યા છે, જેનો સીધો ફાયદો યાત્રીઓને મળશે. આવામાં તમારે આ નિયમો વિષે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. જાણકારી ન હોવા પર તમારે દંડ આપવો પડી શકે છે. રેલવે તરફથી બનાવવામાં આવેલા નિયમો ખાસકરીને રાત્રે સફર કરનાર યાત્રીઓ પર લાગૂ થશે.
યાત્રીઓની સુવિધા પર આપવામાં આવશે ધ્યાન
રેલવે બોર્ડને મોટેભાગે રાત્રે યાત્રા કરનાર યાત્રીઓને તકલીફ પડવાની ફરિયાદો આવતી રહે છે. અ ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
સ્થળ પર જ થશે સમાધાન
અવાજ કરવાની કે મોટા અવાજમાં વાત કરવાની વગેરે ફરિયાદના કિસ્સામાં, ટ્રેન સ્ટાફે સ્થળ પર જઈને સમસ્યાનું સમાધાન કરવું પડશે. જો કોઈ સમાધાન નહીં મળે તો જવાબદારી ટ્રેન સ્ટાફની રહેશે. રેલવે બોર્ડ તરફથી તમામ ઝોનના જનરલ મેનેજરોને આ અંગે આદેશ જારી કરીને નિયમોનો અમલ કરવા જણાવાયું છે.
યાત્રીઓ તરફથી મળતી ફરિયાદો
યાત્રીઓ તરફથી મોટેભાગે બાજુની સીટ પર રહેલા યાત્રીનાં મોબાઈલ પર જોરજોરથી વાત કરવા કે મ્યૂઝિક સાંભળવાની ફરિયાદો આવે છે. એવી ફરિયાદો પણ મળે છે કે કોઈ ગ્રુપ મોટા અવાજે વાત કરે છે, જેથી અન્ય યાત્રીઓને ડિસ્ટર્બ થાય છે. રાત્રે લાઈટ ઓન કરવા પર પણ વિવાદ થાય છે. હવે આવી સમસ્યાઓનું સમાધાન રેલ સ્ટાફે સ્થળ પર પહોંચીને જ કરવું પડશે.
હવે લાગૂ થશે આ નિયમ
રાત્રે 10 વાગ્યા બાદ કોઈપણ યાત્રી મોબાઈલ પર જોરથી વાતો નહી કરી શકે, લાઉડ મ્યૂઝિક સાંભળવાની પણ મંજૂરી નથી. રાત્રે સફરમાં નાઈટ લાઈટ સિવાય બધી લાઈટ બંધ કરવી પડશે. ગ્રુપને પણ જોરથી વાતો કરવાની પરવાનગી નથી. ફરિયાદ મળવા પર કાર્યવાહી થઈ શકે છે. રાત્રે ચેકિંગ સ્ટાફ, આરપીએફ, ઇલેક્ટ્રિશિયન, કેટરિંગ સ્ટાફ અને મેન્ટેનન્સ સ્ટાફ શાંતિથી કામ કરશે.