ખેડૂત નેતાઓની તરફથી મળતી માહિતીના આધારે તેઓ ફક્ત સ્ટેશન પર જ રેલ રોકશે. રસ્તામાં વચ્ચે કોઈ પણ ટ્રેનને રોકાશે નહીં. જ્યારે ટ્રેનને રોકાશે ત્યારે તેને માળા પહેરાવાશે. આ સમયે ઓછી ટ્રેન અવરજવર કરે છે આ કારણે દિવસનો સમય પસંદ કરાય છે.
રાકેશ ટિકૈતે આપ્યું મહત્વનું નિવેદન
ભાકિયુના રાષ્ટ્રિય પ્રવક્તા રાકેશ ટિકૈતે 18 ફેબ્રુઆરીએ રેલ રોકો આંદોલનની રણનીતિને લઈને મોડી રાતે નિવેદન આપ્યું છે. તેમાં તેઓએ કહયું કે આ દિવસે રેલ રોકો આંદોલન 12થી 4 સુધી ચાલશે, આ સાથે ખેડૂતો રેલને રસ્તામાં રોકશે નહીં. તેને સ્ટેશન પર જ રોકવામાં આવશે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે તેઓ યૂપી ગેટ પર જે ખેડૂતો ધરણા કરી રહ્યા છે ત્યાં રહેશે. પોતાના ગામથી ખેડૂતો નજીકના રેલ્વે સ્ટેશન પહોંચીને રેલ રોકશે. આ આંદોલન શાંતિપૂર્ણ રીતે કરાશે. પહેલા રેલના એન્જિન પર ફૂલ માળા ચઢાવાશે. કિસાન એન્જિન પર ફૂલ ચઢાવશે અને રેલ રોકો આંદોલન કરશે. આ સમયે યાત્રીઓને ચા નાસ્તો પણ કરાવાશે. આ સમયે યાત્રીઓને દેશમાં વધી રહેલી મોંઘવારી અને અન્નદાતાઓની સમસ્યાથી માહિતગાર કરાશે. ખેડૂત સરકારને એ સંદેશ આપશે કે આ આંદોલન દેશમાં ફેલાઈ ચૂક્યું છે.આંદોલનમાં પશ્ચિમી યૂપી અને હરિયાણાની સાથે અન્ય રાજ્યો જેમકે તેલંગાણા, પંજાબ, કેરળ, રાજસ્થાનથી ખેડૂતો આવશે.
આ જગ્યાઓએ વધારાઈ ચૌકસી
ખેડૂતોના એલાન બાદ બુધવારે દિલ્હી, હરિયાણા અને યૂપીની પાસેના સ્ટેશનો પર સીઆરપીએફએ ચોકસી વધારી છે. સુરક્ષા માટે આરપીએફની વધારીની કંપનીઓ કામ કરી રહી છે. સ્ટેશન સુધીના મુખ્ય રસ્તા સિવાયના રસ્તા બંધ કરાયા છે અને ઈમરજન્સી માટે બેરિકેડિંગ લગાવાયા છે.
વધારાઈ સુરક્ષા
રેલવેએ વધુ ફોર્સ વિવિધ જગ્યાએ કરી તૈનાત. રેલવે પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટર અરુણ કુમારે કહ્યું છે કે અમે ઈચ્છી રહ્યા છીએ કે ખેડૂતો પ્રવાસીઓ માટે અસુવિધા ઉભી ન કરે. 4 કલાક શાંતિથી વીતી જાય તેવા અમારા પ્રયાસો રહેશે. આ સિવાય બોર્ડરની પાસેના ટ્રેક, સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર, ગાઝીપુર બોર્ડરની આસપાસના સ્ટેશન નરેલા, આનંદ વિહાર ટર્મિનલ, શાહદરા ની આસપાસ આરપીએફ કર્મીઓ જોવા મળી રહ્યા છે.
આ છે નિયમ
રેલ સંચાલનમાં કોઈ બાધા ઊભી કરે તો તેને માટે રેલ્વે એક્ટ વિરુદ્ધ કાર્યવાહી કરાય છે. ટ્રેન પર સામાન ફેંકાય કે પાટાને નુકસાન કરાય તો દોષીને રેલ્વેની કલમ 150 હેઠળ ઉમરકેદની સજા થઈ શકે છે. આ સિવાય કલમ 174 ના આધારે ટ્રેક પર બેસીને કંઈક રાખીને ટ્રેન રોકાય તો 2 વર્ષની સજા અને 2000 રૂપિયાનો દંડ કે બંને થઈ શકે છે. રેલ્વેના કામમાં બાધા કરવાથી રેલ્વેમાં જબરદસ્તી જવાથી કલમ 146,147ના આધારે 6 મહિનાની જેલ કે 1000 રૂપિયાનો દંડ કે બંને થઈ શકે છે.