રાજકોટમાં સતત બીજા દિવસે મનપાની આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી યથાવત રહી છે.શહેરમાં 80 ફુટ રોડ અને મોચી બજારમાં અલગ અલગ ડેરીઓમાં દરોડા પાડતા ગાય-ભેંસનું નકલી ઘીનો જથ્થો ઝડપાયો હતો.ભેંસનુ 145 કિલો ઘી અને ગાયનું 80 કિલો નકલી ઘી સહિત 25 કિલો જેટલી અખાદ્ય મીઠાઇ ઝડપી પાડી નાશ કરાયો હતો.
ઘીના ભેળસેળમાં સોયાબીન અને કલરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો.નાયબ આરોગ્ય અધિકારી પી.પી રાઠોડે જણાવ્યું હતુ કે ઘીમાં અલગ અલગ કલરની ભેળસેળ કરી ડુપ્લીકેટ ઘીના ડબ્બા તૈયાર કરી ઉંચી કિંમતે વેંચવામાં આવતા હતા. હાલ તો નોટિસ ફટકારી તમામ જથ્થાનો નાશ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ભૂતકાળમાં પણ અવારનવાર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અનેક સ્થળો પર દરોડા પાડીને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પર તવાઇ બોલાવી હતી.