આરોગ્ય વિભાગે દરોડા પાડી અખાદ્ય પદાર્થનો કર્યો નાશ
મોટી માત્રામાં અખાદ્ય પદાર્થનો કર્યો નાશ
રાજકોટમાં મનપાનું આરોગ્ય તંત્ર એકશનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે દરોડા પાડી અખાદ્ય પદાર્થનો નાશ કર્યો છે. મોટી માત્રામાં અખાદ્ય પદાર્થનો નાશ કરાયો છે. તો પાણીપુરીના ધંધાર્થીઓ અને નાસ્તા ગૃહોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં જાણીતા મયુર ભજીયા, રાજ પાઉભાજીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાએથી સેમ્પલ પણ લેવાયા હતા. ડાયમંડ સીંગ, જોકર ગાંઠિયા અને સૂર્યકાંત હોટેલમાં પણ ચેકિંગ હાથ ધરી ખાદ્યવસ્તુઓની એક્સપાઈરી ડેટ સહિતની સામગ્ર તપાસી હતી.
રાજકોટ સહિત તેલની કિંમતમાં વધારો
ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ વધારા પર મંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું કે, તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર આધારિત છે. ગરીબોને સસ્તુ તેલ મળે તે માટે સરકારના પ્રયાસો યથાવત્ છે. ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદાય છે. જેના માટે બજેટમાં 71 લાખ NSFAના લાભાર્થીઓ માટે જાહેરાત કરાઈ હતી. તહેવારો પર લોકોને તેલ મળી રહે તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે. તમામ જગ્યા પર સંતુલન રાખીને સરકાર કામ કરી રહી છે. અને જે લોકો સંગ્રહખોરી કરી રહ્યા છે. તેમની સામે કડક પગલા લેવાશે. તેવી પણ ચેતવણી કેબિનેટ મિનિસ્ટ જયેશ રાદડિયાએ આપી છે.
તહેવારોમાં તેલના ભાવમાં જોવા મળ્યો વધારો
કપાસિયા તેલના ભાવ
જુના ડબ્બાના ભાવ 2420
નવા ડબ્બાના ભાવ 2470
સીંગતેલના ભાવ
જુના ડબ્બાના ભાવ 2510
નવા ડબ્બાના ભાવ 2560
સનફલાવર તેલના ભાવ
જુના ડબ્બાના ભાવ 2240
નવા ડબ્બાના ભાવ 2290
એડિબલ ઓઈલ ફેડરેશનના ચેરમેનનો સરકાર પર આરોપ
રાજ્યમાં સિંગતેલ કરતા કપાસિયા તેલના ભાવ ઊંચા ગયા છે. ખાદ્યતેલના ભાવ ટૂંક સમયમાં ઘટવાની શકયતા નથી. એડિબલ ઓઈલ ફેડરેશનના ચેરમેન દ્વારા આ અંગે નિવેદન આપ્યું કે, શ્રાવણ માસના તહેવારોમાં પણ રાહત મળવી અઘરું છે. સરકારની નીતિઓના કારણે ભાવ બેકાબૂ બન્યા છે. ખાદ્યતેલમાં આવશ્યક ચીજવસ્તુ ધારો હવે લાગુ થતો નથી. સંગ્રહખોરી પર કોઈ અંકુશ નથી. મોટી કંપનીઓના હાથમાં ટ્રેડની લગામ નથી. સિંગતેલ 2560 અને કપાસિયા 2470ના ભાવે બજારમાં વેચાઈ રહ્યું છે. લોકડાઉન વખતે કપાસિયા તેલ રૂ. 1500 ડબ્બો હતો. 2017મા કપાસિયા તેલ 1200 અને સિંગતેલનો ડબ્બો 1500 રૂપિયાનો હતો.