રાહુલે કહ્યું હતું કે અર્થતંત્રમાં ફરી તેજી લાવવા માટે જરૂરી છે કે સરકાર તેનો ખર્ચ વધારે, પણ તે માટે ઉધાર વધારવું કોઈ પણ રીતે હિતાવહ નથી. ગરીબોને સહાય જરૂર કરે પણ ઉદ્યોગપતિઓને ટેક્સમાં રાહત અયોગ્ય છે.
ટ્વિટર પર એક આર્ટીકલ શેર કરીને કહ્યું, મી કહ્યું તેની RBIએ પુષ્ટિ કરી
સરકારે અર્થતંત્રમાં ગતિ લાવવા માટે પોતાનો ખર્ચો વધારવો પડશે: રાહુલ
દેશમાં કોરોનાના લીધે અર્થતંત્રની તેજીના વળતાં પાણી થયા છે, દેશનો આમ નાગરિક રોજગાર અને મોંઘવારી વચ્ચે પહેલાથી જ પીસતો હતો, ત્યારે કોરોનાના લીધે હેવ તેનું રહ્યું સહયું મનોબળ પણ ભાંગી પડ્યું છે. દેશની અર્થવ્યવસ્થામાં ફરી તેજી લાવવા માટે અને રોકાણકારો, વેપારીઓ અને ગ્રાહકો ખાસ કેરીને દેશના મધ્યમ વર્ગનો ફરી વિશ્વાસ જગાડવા માટે સરકારે તેના ખર્ચાઓ વધારવા પડશે તેવુ મોટા ભાગના એક્સપર્ટસ કહી રહ્યા છે.
RBI ने भी उस बात की पुष्टि कर दी जिसकी मैं महीनों से चेतावनी दे रहा हूँ।
ज़रूरी है कि सरकार:
खर्च बढ़ाए, उधार नहीं
गरीबों को पैसा दे, न कि उद्योगपतियों को टैक्स-कटौती
खपत से अर्थव्यवस्था को फिर शुरू करे।
છેલ્લા ઘણા સમયથી મોદી સરકારને સદા ખરીખોટી સંભળવતા રહેલા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે પણ ટ્વિટર પર RBIને લગતા એક આર્ટીકલને શેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે" RBI એ પણ પુષ્ટિ કરી દીધી છે કે જેની હું મહિનાઓથી ચેતવણી આપી રહ્યો છું. હાલના સંજોગોમાં મહત્વનું છે કે સરકાર તેના ખર્ચમાં વધારો કરો, ઉધારમાં નહીં, ગરીબોને પૈસા આપવા જોઈએ, ઉદ્યોગપતિઓ માટે ટેક્સમાં રાહત હાલ ઠીક નથી. ડિમાન્ડના જોરે અર્થતંત્રને ફરી શરૂ કરી શકાય છે. મીડિયા દ્વારા લોકોનું ધ્યાન ભટકાવવું ન તો ગરીબોને મદદ કરશે અને ન તો કોઈ આર્થિક સંકટને હલ કરશે."
RBI has now confirmed what I have been warning for months.
Govt needs to:
Spend more, not lend more.
Give money to the poor, not tax cuts to industrialists.
Restart economy by consumption.
Distractions through media won't help the poor or make the economic disaster disappear. pic.twitter.com/OTDHPNvnbx
આમ રાહુલ ગાંધીએ ગરીબોને સરકાર દ્વારા આર્થિક સહાયતા કરવામાં આવે તે મુદ્દા પર વધુ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર ઉદ્યોગપતિઓને આવ સમયે ટેક્સમાં રાહત આપે તે યોગ્ય નથી. આમ કરવાથી સરકારનું ઉધાર જ વધશે, પરંતુ સરકારી ખર્ચો નહીં વધે. જ્યારે હાલના સમયમાં દેશના અર્થતંત્રને ડિમાન્ડ ઊભી કરીને ચાલતું કરવું તે જ એકમાત્ર વિકલ્પ છે. સરકારે પોતાના ખાતેથી ખર્ચો વધારવો પડશે.