ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણવા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીનની ઘૂસણખોરીના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર એકવાર ફરી નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે પોતાના ટ્વિટમાં લખ્યું છે, ચીને આપણી જમીન પર કબ્જો કરી લીધો. ભારત સરકારે તેને પરત લેવા માટે કોઇ યોજના બનાવી રહી છે?
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા થોડા સમયથી રોજગારી, જીડીપી, આર્થિક વ્યવસ્થા, લોકડાઉન સહિત અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યાં છે. જેને લઇને તેઓ વારંવાર કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં રહ્યાં છે.
The Chinese have taken our land.
When exactly is GOI planning to get it back?
Or is that also going to be left to an 'Act of God'?
જો કે રાહુલ ગાંધીએ કરેલા નવા ટ્વિટમાં ચીન દ્વારા આપણી જમીન પર કબ્જો કરવા તેમજ ઘૂસણખોરી કરવાને લઇને નિશાન તાક્યું છે.
રાહુલ ગાંધીએ 11મી સપ્ટેમ્બરના ટ્વિટમાં લખ્યું છે કે ચીને આપણી જમીન પર કબ્જો કરી લીધો છે. ભારત સરકાર તેને પરત લેવા કોઇ યોજના બનાવી રહી છે ? કે પછી ફરી તેને પણ એક દેવીય ઘટના બનાવી છોડી દેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આ અગાઉ પર ચીનની ઘૂસણખોરીના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યાં હતા.