કોરોના વાયરસ સંકટ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામણના નિવેદને હંગામો મચાવી દીધો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હવે તીખી પ્રતિક્રિયા આપી છે અને અર્થવ્યવસ્થાને બગાડવા માટે મોદી સરકારના આ ત્રણ નિર્ણયને જવાબદાર ગણાવ્યા છે.
કોવિડએ ભારતીય અર્થતંત્ર માટે act of god છે: નિર્મલા સીતારામણ
NEET JEEના વિદ્યાર્થીઓ જો દ્રૌપદી હોય તો CMs કૃષ્ણ અને હું વિદુર : સુબ્રમણ્યમ સ્વામી
કોરોના વાયરસ સંકટ વચ્ચે અર્થતંત્રની હાલત ખરાબ છે. કેન્દ્રની સાથે રાજ્ય સરકારોની આવક પણ નબળી પડી છે. દરમિયાન, નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કોરોના સંકટને "act of god" તરીકે ગણાવ્યો હતો. હવે આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને નિશાન બનાવ્યા છે.
India’s economy has been destroyed by three actions:
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'આ ત્રણ મોટા કારણો, નોટબંધી-જીએસટી અને નિષ્ફળ લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. આ સિવાય જે કંઈ પણ કહેવામાં આવે છે તે ખોટું છે. નોંધનીય છે કે અર્થતંત્રના મુદ્દે રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે.
GST કાઉન્સિલની બેઠકમાં GST આવક સંગ્રહનો મુદ્દો રાજ્ય સરકારોએ કેન્દ્રની સામે ઉઠાવ્યો હતો
દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કાઉન્સિલને સંબોધન કરતાં કહ્યું હતું કે GST સંગ્રહ પર કોરોના વાયરસ રોગચાળાની ખૂબ જ ખરાબ અસર પડી છે. તેમણે એમ પણ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા અસાધારણ "act of god" નો સામનો કરી રહી છે, જે કોરોના વાયરસના રૂપમાં આવી છે, જેના કારણે આ વર્ષે અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં ઘટાડો થયો છે અને હજી ઘટ આવી શકે છે. આ નિવેદનને કારણે નિર્મલા સીતારમણને પણ ટ્રોલ કરવામાં આવી હતી.
નિર્મલાના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો. તેમના પર માત્ર વિપક્ષ જ નહીં, ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી તરફથી પણ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
I am reliably informed that FM N. Sitharaman told a meeting that COVID-19 is an act God!! I will post the video soon. Was the decline in annual growth rate in GDP from 8 % in FY 15 to (1st Qtr 2020) 3.1 % pre-C0VID, also an act of God ?
In the NEET and JEE exam matter today, are students like Draupadi being disrobed? CMs can play the role of Krishna. All my experience as a student and then Professor for 60 years tells me something wrong has been scheduled. I feel like Vidura.
સ્વામીએ પોતાની ટવીટમાં લખ્યું કે તેમને ખબર પડી કે કોવિડ -19 એ ભગવાનનો નિયમ છે. આ અંગે તે જલ્દી એક વીડિયો બહાર પાડશે. આ પછી, સ્વામીએ એક વીડિયો પણ રજૂ કર્યો જેમાં નિર્મલા સીતારમણ કોવિડ -19 ને act of god ગણાવી રહી છે. આ સિવાય સ્વામીએ આ મુદ્દે શ્રેણીબદ્ધ ટ્વિટ કર્યા હતા, અને આ મુદ્દાને NEET JEE પરીક્ષાના મુદ્દા સાથે પણ સાંકળ્યો હતો. તેમણે લખ્યું હતું કે અહી વિદ્યાર્થીઓ દ્રૌપદી, મુખ્યપ્રધાનો કૃષ્ણ અને તેઓ પોતે વિદુરનું પાત્ર ભજવી રહ્યા છે.