કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના વૈશાલીમાં યુવતીને જીવકી સળગાવવાના મામલાને દબાવવાને લઈને સરકાર પર કર્યો શબ્દ પ્રહાર. મંગળવારે કહ્યું કે ચૂંટણીના ફાયદા માટે સુશાસનના બનાવટી પાયાના માળખાને બચાવવા માટે અમાનવીય પગલુ વધારે મોટું ગુનાહિત અને ખતરનાક પ્રવૃત્તિ છે.
પોલીસે યુવતીને જીવતી સળગાવવાનો મામલો દબાવી દીધો
કોનો ગુનો વધારે ખતરનાક? જેમણે અમાનવીય કર્મ કર્યુ કે જેને ચૂંટણીના ફાયદા માટે તેને છુપાવ્યો
મતદાતાઓને ગુમરાહ કરવા માટે ખતરનાક પગલુ ભર્યું
રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન થઈ હતી. અને રાજ્ય સરકારે સુશાસનના જૂઠ્ઠા પ્રચાર પર પડદો નાંખવા માટે અને મતદાતાઓને ગુમરાહ કરવા માટે ખતરનાક પગલુ ભર્યું છે.
किसका अपराध ज़्यादा ख़तरनाक है-
जिसने ये अमानवीय कर्म किया?
या
जिसने चुनावी फ़ायदे के लिए इसे छुपाया ताकि इस कुशासन पर अपने झूठे 'सुशासन' की नींव रख सके? pic.twitter.com/VDIeL19F3Q
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી છે કે,‘કોનો ગુનો વધારે ખતરનાક છે. જેમણે અમાનવીય કર્મ કર્યુ કે જેને ચૂંટણીના ફાયદા માટે તેને છુપાવ્યો. જેથી આ કુશાસન પર જૂઠ્ઠા સુશાસનનો પાયો મુકી શકાય?' કોંગ્રેસ નેતાએ આ ટ્વીટની સાથે બિહારના હાજીપુર ડેટ લાઈનમાં છપાયેલા એક સમાચારને પોસ્ટ કર્યા છે. જેમાં કહ્યું છે કે રાજ્ય વિધાનસભા ચૂંટણીનો માહોલ ખરાબ ન થાય એટલા માટે પોલીસે યુવતીને જીવતી સળગાવવાનો મામલો દબાવી દીધો હતો.