કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભારત હવે વિશ્વમાં કોરોના વાઈરસનું કેન્દ્ર છે. આપણે જે દેશમાં જોઈ રહ્યાં છીએ તેનાથી આખી દુનિયા વિચલીત છે.
ભારત હવે વિશ્વનું કોરોના કેન્દ્ર
દેશની પરિસ્થિતિથી આખી દુનિયા વિચલીત
કોવિડ-19 પૂરી તબાહી લાવ્યો છે
આ લહેર નથી, આ સુનામી છે
રાહુલે કહ્યું કે કોવિડ-19 પૂર્ણ તબાહી લાવ્યું છે. આ લહેર નથી, આ સુનામી છે જેણે બધુ તબાહ કરી નાખ્યું છે.
કોરોનાથી પરિસ્થિતિ ખરાબ થઈ ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યોને માથે જવાબદારી નાખી
રાહુલે કહ્યું કે જ્યારે દેશમાં કોરોનાથી પરિસ્થિતિ ખરાબ થઈ ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યોને માથે જવાબદારી નાખી દીધી. લોકો હવે હકીકતમા આત્મનિર્ભર થઈ ગયા છે.કોવિડની હાલની પરિસ્થિતિ માટે પ્રધાનમંત્રી સંપૂર્ણ રીતે ખોટી રીતે, અત્યંત કેન્દ્રીયકૃત, વ્યક્તિગત મશીનરી ચલાવી રહ્યાં છે. પ્રધાનમંત્રી પોતાને ચમકાવવાના કામમાં લાગ્યાં છે. તેમનું ધ્યાન મૂળ વાતની જગ્યાએ પોતાની ચહેરો ચમકાવવામાં છે.
કોરોનાની સ્થિતિ સરકારના નિયંત્રણની બહાર : રાહુલ ગાંધીનો આરોપ
રાહુલ ગાંધીએ કહ્યું આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ છે. કોઈ તમારી મદદ માટે નહીં આવે, પ્રધાનમંત્રી પણ નહીં. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર માટે કોરોનાની સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણ બહાર છે અને આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે રાજ્યો અને નાગરિકોને 'આત્મનિર્ભર' બનાવવાની તેમની આ રીત છે.
રાહુલે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી શાહે કોરોના વાઈરસ ફેલાવે તેવા કાર્યક્રમો ગોઠવ્યાં અને તેવા કાર્યક્રમોની પ્રશંસા પણ કરી. રાહુલે કહ્યું કે મોદી સરકાર ઘમંડી છે. વાસ્તવિકતાને બદલે ધારણા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. કોરોના વાઈરસની સામે ફક્ત વિનમ્રતાથી લડી શકાય છે. પ્રેસ, ન્યાયપાલિકા, ચૂંટણી પંચ, નોકરશાહી કોઈએ પણ રખેવાળ કે પ્રહરીની ભૂમિકા ન ભજવી. ભારત એક એવું જહાજ છે જે એક તોફાનમાં કોઈ પણ જાતની માહિતી વગર યાત્રા કરી રહ્યું છે.
આ સમયે દેશના લોકોની સાથે ઉભા રહેવાની જરૂર છે
કોવિડ બેડની સાથે હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ ભારે અછત છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકોની મદદ માટે આગળ આવ્યા છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું, "આ સમયે દેશના લોકોની સાથે ઉભા રહેવાની જરૂર છે. અમે એક મેડિકલ એડવાઈઝરી હેલ્પલાઇન શરૂ કરી છે. હવે તમે +919983836838 પર ફોન કરીને મેડિકલ સલાહ મેળવી શકો છો." રાહુલ ગાંધીએ ડોકટરો અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સને પણ આગળ વધીને રજીસ્ટ્રેશન કરાવવાની અપીલ કરી છે.રાહુલ ગાંધીએ એવા સમયે ટ્વિટ કર્યું છે જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત, આ સંક્રમણથી દરરોજ હજારો લોકો મરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ડોકટરોની મદદ લીધી છે.
તેમણે કહ્યું કે આ સમય એક થઇને આ મહામારી સામે લડવાનો છે. તેમણે ટ્વિટ દ્વારા રજીસ્ટ્રેશન ફોર્મ પણ શેર કર્યું છે, જે અંતર્ગત ડોકટરો અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ સરળતાથી નોંધણી કરાવી શકશે.