રાહુલે પીએમ મોદીને કહ્યું છે કે તમારા કર્મ તમારી રાહ જોઇ રહ્યા છે અને મારા પિતાને વચ્ચે લાવવા પર પણ તમે બચી શકશો નહીં. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે અમેઠીવાસીઓ માટે રાજીવ ગાંધીએ પોતાનો જીવ આપ્યો, એ જનતા તમને જવાબ આપશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એમની બહેન પ્રિયંકા ગાંધીએ પોતાના પિતા રાજીવ ગાંધીને લઇને કરવામાં આવેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો સખત અંદાજમાં જવાબ આપ્યો છે. રાહુલે કહ્યું છે કે તમારા કર્મો તમારી રાહ જોઇ રહ્યા છે અને મારા પિતાને વચ્ચે લાવીને તમે બચી શકશો નહીં. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું પીએમ મોદીએ બેલગામ સનકમાં એક નેક માણસની શહીદીનો અનાદર કર્યો છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વિટમાં લખ્યું, 'શહીદોના નામ પર વોટ માંગીને એમને શહીદીને અપમાન કરનાર પ્રધાનમંત્રીએ શનિવારે એક નેક માણસની શહીદીનો અનાદર કર્યો છે. જવાબ અમેઠીની જનતા આપશે જેમના માટે રાજીવ ગાંધીએ પોતાનો જીવ આપ્યો. હાં મોદીજી આ દેશ દગાબાજીને ક્યારેય પણ માફ કરશે નહીં.'
તો બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી લડાઇ ખતમ થઇ ગઇ છે, તમારા કર્મો તમારી રાહ જોઇ રહ્યા છે.
शहीदों के नाम पर वोट माँगकर उनकी शहादत को अपमानित करने वाले प्रधानमंत्री ने कल अपनी बेलगाम सनक में एक नेक और पाक इंसान की शहादत का निरादर किया। जवाब अमेठी की जनता देगी जिनके लिए राजीव गांधी ने अपनी जान दी। हाँ मोदीजी ‘यह देश धोकेबाज़ी को कभी माफ नहीं करता’।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 5, 2019
ઉલ્લેખનીય છે કે એક રેલીમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર રાફેલ ડીલને લઇને એમની છાપ ખરાબ કરવાનો આરોપ લગાવતા પૂર્વ પીએમ રાજીવ ગાંધીના બહાને રાહુલ ગાંધીની ટીકા કરી હતી. પીએમ મોદીએ રાજીવ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે 'મિસ્ટર ક્લીન'નો જીવનકાળ 'ભ્રષ્ટાચારી નંબર વન'ના રૂપમાં સમાપ્ત થયું હતું.